અફઝલનો મૃતદેહ નહીં સોંપાય તેના પરિવારને: ગૃહમંત્રાલય

ગુપ્ત રિપોર્ટમાં એ વાતની શંકા વ્યક્ત કરવામાં આવ્યો છે કે જો અફઝલનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવશે તો કાનૂન વ્યવસ્થા બગડી શકે છે. સરકારે આ ગુપ્ત રિપોર્ટના આધારે અફઝલ ગુરુનો મૃતદેહ નહીં સોંપવાનો નિર્ણય કર્યો છે.
ફાંસી આપ્યા બાદ અફજલને તિહાડ જેલમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પત્નીએ પોતાના પતિના મૃતદેશની માગ કરી હતી. અફઝલની પત્નીએ માંગ કરી હતી કે તેના પતિનો મૃતદેહ તેને સોંપવામાં આવે જેથી તે તેના ગૃહરાજ્ય જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામી રીતિ રિવાજ અંતર્ગત દફનાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે સંસદ હુમલાનો આરોપી અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી હતી. ત્યાર બાદ પત્રકાર પરિષદમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું હતું કે અફઝલના મૃતદેહને તેના પરિવારને સોંપવા પર સરકાર વિચાર કરશે.












Click it and Unblock the Notifications
