For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઝલનો મૃતદેહ નહીં સોંપાય તેના પરિવારને: ગૃહમંત્રાલય

|
Google Oneindia Gujarati News

afzal guru
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: સંસદ પર હુમલાનો દોષી અફઝલ ગુરુના મૃતદેહને તેના પરિવાર સોંપવાનો ગૃહમંત્રાલયે ઇનકાર કરી દીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કાશ્મીરમાં કાનૂન વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે આ નિર્ણય ગુપ્તચર એજન્સીઓના અહેવાલ લીધો.

ગુપ્ત રિપોર્ટમાં એ વાતની શંકા વ્યક્ત કરવામાં આવ્યો છે કે જો અફઝલનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવશે તો કાનૂન વ્યવસ્થા બગડી શકે છે. સરકારે આ ગુપ્ત રિપોર્ટના આધારે અફઝલ ગુરુનો મૃતદેહ નહીં સોંપવાનો નિર્ણય કર્યો છે.

ફાંસી આપ્યા બાદ અફજલને તિહાડ જેલમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પત્નીએ પોતાના પતિના મૃતદેશની માગ કરી હતી. અફઝલની પત્નીએ માંગ કરી હતી કે તેના પતિનો મૃતદેહ તેને સોંપવામાં આવે જેથી તે તેના ગૃહરાજ્ય જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામી રીતિ રિવાજ અંતર્ગત દફનાવી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે સંસદ હુમલાનો આરોપી અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી હતી. ત્યાર બાદ પત્રકાર પરિષદમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું હતું કે અફઝલના મૃતદેહને તેના પરિવારને સોંપવા પર સરકાર વિચાર કરશે.

English summary
Govt unlikely to hand over Afzal Guru's body to his family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X