ગુજરાતનું ગૌરવ, જાણો કોણ છે UPSCના નવા ચેરમેન મનોજ સોની?
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન પદે પ્રથમવાર એક ગુજરાતી વ્યક્તિની વરણી થઇ છે. ડો.મનોજ સોનીની UPSCના ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ 27 જૂન 2023ના રોજ પૂર્ણ થશે. ડો.મનોજ સોની અગાઉના અધ્યક્ષ પ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન પદે પ્રથમવાર એક ગુજરાતી વ્યક્તિની વરણી થઇ છે. ડો.મનોજ સોનીની UPSCના ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ 27 જૂન 2023ના રોજ પૂર્ણ થશે. ડો.મનોજ સોની અગાઉના અધ્યક્ષ પ્રદીપ કુમાર જોશીને સ્થાને નિયુક્ત થયા છે. ડો.મનોજ સોની એમ.એસ યુનિવર્સિટી અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.

ડો. મનોજ સોની આ પહેલાં ત્રણ ટર્મ સુધી વાઇસ ચાન્સેલર રહ્યા હતા. જેમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે બે ટર્મ અને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય બરોડાના કુલપતિ તરીકે એક ટર્મનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઇએ કે UPSCમા મનોજ સોની સૌથી સિનિયર સભ્ય છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલમાં નેધરલેન્ડના પ્રવાસે છે આથી તેઓ સ્વદેશ પરત આવ્યા બાદ અધ્યક્ષપદે કાયમી નિયુક્તિ થશે. ચેરમેનપદે ડો.સોનીની કાયમી નિયુક્તિ બાદ તેમને વધુ 5 વર્ષ અર્થાત જુન 2028 સુધીનો સમય મળી શકે છે.
17 ફેબ્રુઆરી 1965માં જન્મેલા મનોજ સોની હાલ UPSCના સભ્ય છે. ડો મનોજ સોની વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના સૌથી યુવા વાઈસ ચાલ્સેલર તરીકે રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ 2009 થી 2015 સુધી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચુક્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
