સંત રામપાલના આશ્રમની બહાર સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ
હિસાર, 18 નવેમ્બર: સંપ રામપાલની ધરપકડ માટે પોલીસએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભારે સંખ્યામાં પોલીસ બળે આશ્રમને ચારે તરફથી ઘેરી લીધી છે. આશ્રમની બહાર પ્રદર્શન કરી રહેલા સમર્થકોને હટાવવા માટે પોલીસ વોટર કેનનનો અને ટીયર ગેસ સેલનો ઉપયોગ કરી રહી છે, પરંતુ સંત રામપાલના સમર્થક આશ્રમથી હટવા માટે તૈયાર નથી. અને પોલીસ પર પથરાવ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર રામપાલ આશ્રમમાં જ હાજર છે અને પોલીસ કોઇ પણ કિંમતે તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરશે.
આશ્રમની બહારની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. સમર્થક હિંસક થઇ રહ્યા છે. તેમની પર કાબૂ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડી રહ્યો છે. આશ્રમની દીવાર તોડી પાડવા માટે બુલડોજર અને જેસીબી મશીન મંગાવવામાં આવ્યા છે. પોલીસ અનુસાર જો જરૂર પડી તો આશ્રમની દીવાર તોડીને રામપાલની ધરપકડ કરવી જોઇએ. આ ઝડપમાં કેટલાંક પોલીસ અને સમર્થક પણ ઘાયલ થયા છે. સંતરામપાલના સમર્થક પોલીસ પર ફાયરિંગ પણ કરી રહ્યા છે. અત્રે હાલત સતત બેકાબૂ બનતા જઇ રહ્યા છે. આ પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ ઝડપમાં ઘણા મીડિયા કર્મીઓના કેમેરા પણ તૂટી જવાની ઘટના સામે આવી છે.

ચંદીગઢમાં હાઇકોર્ટના આદેશની અણદેખી કરતા બાબા રામપાલ હાઇકોર્ટમાં હાજર ના થયા, બાબાના વકીલે જણાવ્યું કે તેઓ બીમાર છે. નારાજ થયેલી હાઇકોર્ટે જણાવ્યું કે રામપાલ બાળકો અને મહિલાઓને ઢાલ બનાવીને ડ્રામા કરી રહ્યા છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Barwala, Hisar (Haryana): Clash between Sant Rampal's supporters and police outside Satlok Ashram</p>— ANI (@ANI_news) <a href="https://twitter.com/ANI_news/status/534601493744070657">November 18, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સોમવારે તેમના સમર્થકોએ પોતાની પર કેરોસીન નાખીને ખૂબ જ ડ્રામા કર્યું અને પોલીસને ઉશ્કેરવાની કોશીશ કરી હતી. પોલીસે સતલોક આશ્રમને ખાલી કરાવવાના સતલોક આશ્રમ ઓપરેશનને શરૂ કરી દીધું છે. ત્યારે આશ્રમના અનુયાયી પોતાની જિદ્દ પર અડેલા રહ્યા છે.
પોલીસ દ્વારા આશ્રમ કમિટિને આશ્રમ ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવી છે. પરંતુ અનુયાયિયોએ પોલીસની નોટિસને ધતિંગ ગણાવી આશ્રમ ખાલી કરવાનો ઇનકાર કરી દીધો છે. સંત રામપાલના ભાઇ અને આશ્રમના મુખ્ય સેવક પુરુષોત્તમ દાસનું કહેવું છે કે આશ્રમને ખાલી કરાવવા માટે પોલીસને લાશો પરથી પસાર થવું પડશે. આ પહેલા એસડીએમ પ્રશાંત આશ્રમને ખાલી કરાવવા માટે સતલોક આશ્રમ ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Barwala,Hisar: Clash between Sant Rampal's supporters & police, police resorts to firing and baton charge <a href="http://t.co/OiP2V6Muxt">pic.twitter.com/OiP2V6Muxt</a></p>— ANI (@ANI_news) <a href="https://twitter.com/ANI_news/status/534605026371440640">November 18, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
