ગુવાહાટીમાં જાહેરમાં છેડતી મામલે 11ને સજા

jail
ગુવાહાટી, 8 ડિસેમ્બરઃ ગુવાહાટીના ચીફ જ્યૂડિશયલ મજિસ્ટ્રેટની અદલાતે શુક્રવારે એક મહત્વનો ચૂકાદો સંભળાવતા છેડતી મામલે 11 લોકોને દોષી ઠેરવી સજા ફટકારી છે. દોષી ઠેરવાયેલા લોકોમાં આ કેસના મુખ્ય આરોપી અમરજ્યોતિ કાલિતા પણ છે. અદાલતે અમરજ્યોતિ કાલિતા સહિત 11 લોકોને આઇપીસીની અલગ-અલગ કલમો હેઠળ બે વર્ષની સજા અને 2 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જ્યારે આ કેસમાં અપુરતા પુરાવાઓના કારણે ત્રણ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નિર્દોષ છૂટનારાઓમાં સ્થાનિક ટીવી ચેનલના પત્રકાર ગૌરવ જ્યોતિ નિયોગ પણ સામેલ છે. નિયોગ અંગે તમને જણાવી દઇએ કે, તેણે આ આખી ઘટનાનું રેકોર્ડિંગ કર્યું હતું. નિયોગ પર ભીડને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. આરોપ લગાવવામાં આવ્યા બાદ નિયોગે કહ્યું હતું કે તે એક પત્રકાર છે અને તેમે રેકોર્ડિંગ કરી પોતાની ફરજ નિભાવી છે, જેથી અપરાધીઓને ઓળખી શકાય.

નોંધનીય છે કે આ વર્ષે 9 જુલાઇના રોજ ગુવાહાટીના એક પબ બહાર 17 વર્ષીય સ્કૂલની વિદ્યાર્થિની સાતે કાલિતા સહિત 30 લોકોએ છેડતી કરી હતી. ભર બજારમાં આરોપીએ વિદ્યાર્થિનીના વાળ ખેંચ્યા અને કપડાં ફાડી નાંખ્યા હતા. ત્યાં ઉભેલા લોકો તમાસો જોઇ રહ્યાં હતા અને કોઇએ પણ તેન બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો. જ્યારે આ ઘટના મીડિયામાં આવી ત્યારે આખા ભારતમાં તેનો વિરોધ કરવામાં આવ્યો અને આરોપીઓને આકરી સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X