રેવાડી ગેંગરેપઃ નોકરી ના મળતા હતાશ યુવાનો કરી રહ્યા છે રેપઃ ભાજપ ધારાસભ્ય
હરિયાણાના રેવાડીમાં રાજ્યની સીબીએસઈ ટોપર સાથે થયેલા ગેંગરેપ પર ભાજપન ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યુ છે.
હરિયાણાના રેવાડીમાં રાજ્યની સીબીએસઈ ટોપર સાથે થયેલા ગેંગરેપ પર ભાજપન ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યુ છે. ઉચાના કલાંથી ભાજપ ધારાસભ્ય પ્રેમલતાએ બળાત્કારના વધતા કેસો માટે બેરોજગારીને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યુ કે યુવાનો રોજગાર ન મળવાથી નિરાશ થઈ જાય છે અને આવા (બળાત્કાર) ગુના કરે છે. પ્રેમલતાના આ નિવેદનના કારણે પહેલેથી બેરોજગારી મુદ્દે ઘેરાયેલી ભાજપ સરકાર પર સવાલો ઉભા કરી દીધા છે.

બળાત્કારનું કારણ યુવાનોની બેરોજગારી
એક કાર્યક્રમ દરમિયાન રેવાડી ગેંગરેપ મામલે સવાલ પૂછાતા ભાજપ ધારાસભ્ય પ્રેમલતાએ કહ્યુ કે સમાજમાં એક નવી વસ્તુ કે પરંપરા શરૂ થઈ ગઈ છે કે છોકરીઓને જોતા જ પુરુષોની નજર બગડી જાય છે. જે રેપની ઘટનાઓ બની રહી છે તેનુ કારણ યુવકોને રોજગાર ન મળવુ અને હતાશ થવાનુ છે. આવા બાળકોને પોતાનું ભવિષ્ય નથી દેખાતુ. ધારાસભ્યએ કહ્યુ કે સરકારે આવા ગુનેગારો માટે ફાંસીની સજાની જોગવાઈ કરી છે પરંતુ કાયદો લાગુ થવામાં હજુ સમય છે.

ત્રણ દિવસ બાદ પણ આરોપી પકડથી બહાર
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં 19 વર્ષની એક બોર્ડ ટોપર વિદ્યાર્થી સાથે ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો હતો. આમાં 3 આરોપીઓ સામે એફઆઈઆર દાખલ થઈ છે પરંતુ ધરપકડ હજુ સુધી કોઈની થઈ નથી. કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીએ આરોપીની બાતમી આપનારને 1 લાખ રૂપિયાના ઈનામની ઘોષણા કરી છે. એસપી નાઝનીન બસીને રેવાડી જિલ્લા હોસ્પિટલમાં પીડિતા સાથે મુલાકાત કરી છે. તેમણે જણાવ્યુ કે પીડિતાની સ્થિતિ હવે સારી છે અને આરોપીની ઓળખ પણ થઈ ચૂકી છે.

રેપ માટે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ જવાબદાર
આ પહેલી વાર નથી જ્યારે કોઈ રેપની ઘટના પર કોઈ ભાજપ નેતાએ આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યુ છે. મધ્યપ્રદેશના ખંડવાથી ભાજપ ધારાસભ્ય નંદકુમાર ચૌહાણે વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે, ‘મહિલાઓ સામે વધતા ગુનાઓ માટે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ જવાબદાર છે. નંદકુમાર ચૌહાણે કહ્યુ કે સ્માર્ટફોન અને ઈન્ટરનેટના કારણે આજકાલ સ્માર્ટફોન અને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. મોબાઈલમાં અશ્લીલ વસ્તુઓ નાના નાના બાળકો જુએ છે. આનાથી તેમના કોમળ મન પર ખરાબ પ્રભાવ પડે છે. મીડિયામાં પણ આ પ્રકારની વાતો આવતી રહે છે.'
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?





Click it and Unblock the Notifications
