પેટ્રોલિયમ પ્રદાર્થો ઉપર જનતાને મળી શકે છે રાહત

એ.કે એન્ટનીએ નારાજગી જાહેર કરતા કહ્યું કે, અમારી નીતિઓ હંમેશા મધ્યમવર્ગી અને વામપંથી ઝુકાવવાળી છે. અમે હંમેશા આમ જનતાને મહત્વ આપી છે.
હવે નીતિઓમાં આ દક્ષિણપંથી વલણ કેમ?
દિગ્વિજય સિંહ, જગદીશ ટાઇટલર સહિત વધારે નેતાઓને સરકારને આ વિસ્તારમાં છથી વધારીને 12 કરી છે. કેટલાક નેતાઓએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને રદ કરવાની માંગ કરી છે. ત્યારબાદ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીને એ વચન આપવું પડ્યું છે કે આ અંગે પ્રધાનમંત્રી અને નાણામંત્રી સાથે તેઓ વિચાર વિમર્શ કરશે. જાણકારોની વાત માનીએ તો પેટ્રોલિયમ મંત્રાલય આ અંગે પહેલેથી જ મન બનાવી ચુક્યું છે. કેબિનેટની બેઠકમાં પણ અનૌપચારિક રીતે ચર્ચાઓ થઇ છે.
પ્રધાનમંત્રી અને સોનિયાની ના થઇ શકી મુલાકાત
સૂરજકુંડના રાજહંસ હોટલમાં શુક્રવારે અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીની સંવાદ બેઠક આકરી સુરક્ષા વ્યવસ્થા સાથે પૂર્ણ થઇ આ બેઠક સવારે 10 વાગ્યે શરૂ થઇ અને સાંજે 4.15 વાગ્યા સુધી ચાલી, બેઠક સમાપ્ત થયા પછી સૌથી પહેલા પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહનો કાફલો હેલીપેડ તરફ રવાના થયો અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ ત્યાંથી રવાના થયા. જેથી તેમની મુલાકાત ના થઇ શકી.












Click it and Unblock the Notifications
