Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શું નોટબંધીના કારણે નક્સલવાદને કંઇ અસર થઇ છે? લાગતું નથી!

આઇબી રિપોર્ટ મુજબ નક્સલવાદીઓને આઇબી રિપોર્ટ મુજબ નક્સલવાદીઓને વિદેશ અને લૂંટપાટથી પૈસા મળે છે. વિદેશ અને લૂંટપાટથી પૈસા મળે છે.

જાન્યુઆરીમાં ગૃહપ્રધાન મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે નક્સલીઓ હાલત નોટબંધીના કારણે કફોડી થઇ રહી છે. તેમણે કહ્યું કે નોટબંધીના નિર્ણયથી નક્સલીઓ પાસે પૂરતા નાણાં નથી કે જેના કારણે તે પોતાના ઓપરેશનને પાર પાડી શકે. વધુમાં આ સમયમાં નક્સલીઓના હુમલા પણ ઓછા થયા હતા. જો કે તે પછી આજે ત્રણ મહિના છે. જેમાં ખાલી છત્તીસગઢમાં જ બે ક્રૂર હુમલામાં સીઆરપીએફના 38 જવાનો શહીદ થયા છે. જે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક નોટબંધીના કારણે નક્સલવાદને કોઇ રીતનું નુક્શાન નથી થયું અને તે બે રોક ટોક તેમના હુમલાઓને અંજામ આપી રહ્યા છે.

naxals

જો કે તે વાત પણ સાચી છે કે નક્સલથી પ્રભાવિત ગામોની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે તે ગામ 106થી ઓછા થઇને 68 થઇ ગયા છે. પણ જે વિસ્તારોમાં નક્સલી હજી પણ છે તેમાં તેમની પકડ સારી છે. ઉલ્લેખનીય છે કે નક્સલીઓને વિદેશથી મોટા પ્રમાણમાં ફડિંગ મળે છે. સાથે જ તે અવાર નવાર લૂંટપાટ પણ કરતા રહે છે જે પણ તેમની આવકનો મુખ્ય ભાગ છે. વળી ગુપ્તચર સંસ્થાઓનું માનીએ તો ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ એજન્ટો દ્વારા તેમને હથિયારો પૂરા પાડવામાં આવે છે.

તે વાત પણ નકારી ના શકાય કે સરકાર અનેક મુદ્દે નક્સલવાદની સમસ્યાને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. વળી સ્થાનિક કક્ષાએ ગુપ્તચરોની અસફળતા પણ સળગતો મુદ્દો છે. અને બીજી તરફ નક્સલીઓ સ્થાનિકોનો વિશ્વાસ કેળવવામાં સફળ રહ્યા છે. જેના કારણે તે સ્થાનિક સ્તરે મજબૂત ગુપ્તચરોનું નેટવર્ક બનાવી શક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X