રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં હાર માની કહ્યું; વિપક્ષમાં બેસીશું, થર્ડ ફ્રન્ટને ટેકો નહીં
નવી દિલ્હી, 2 મે : કોંગ્રેસ પાર્ટીના નેતાઓ લોકસભા ચૂંટણી 2014માં પોતાની જે દશા થવાની છે તેનો સંકેત પામી ગયા હોય તેમ ત્રીજા મોરચા માટે માર્ગ મોકળો હોવાની વાતો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રીજા મોરચા સાથે હાથ મિલાવવાને બદલે વિપક્ષમાં બેસવાનું જણાવી રહ્યા છે. આ બાબત સૂચવે છે કે રાહુલ ગાંધી અપરોક્ષ રીતે લોકસભા ચૂંટણી 2014માં પાર્ટીની હાર જોઇ રહ્યા છે.
દિલ્હીથી પ્રકાશિત અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સને કોંગ્રેસના એક અગ્રણી કારોબારીએ રાહુલ ગાંધીના આ વિચારો જણાવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીની એવી ઇચ્છા છે કે કોંગ્રેસને જો ચૂંટણીમાં વિજય નહી મળે તો તે બીજા પક્ષોની મદદથી સરકાર બનાવવાને બદલે વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે. ત્યાર બાદ તેઓ સંગઠનને નવેસરથી ઉભું કરવાનો પ્રયાસ કરશે. ચૂંટણી પછી રાહુલ ગાંધી સંગઠનમાં પણ ધરખમ ફેરફારો કરશે.

કોંગ્રેસના વરિષ્ઠ પદાધિકારીઓ અને એક પ્રધાને હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અનેક પક્ષોની મદદથી સરકાર બનાવવાના પક્ષમાં નથી આ પ્રકારના ગઠબંધન લાંબાગાળા સફળ થતા નથી, આ સ્થિતિમાં હંમેશા અસ્થિરતા જ રહે છે.
કોંગ્રેસના એક અન્ય નેતાએ જણાવ્યું હતું કે રાહુલ પાછલા અનેક પ્રસંગે કાર્યકરો સાથેની વાતચીતને એ બાબત ઉપર ભાર મુકી ચુકયા છે કે લોકસભાની ચૂંટણી પછી તેઓ સંગઠનમાં ધરખમ ફેરફારો કરશે. ખાસ કરીને એવા રાજયોમાં કે જયાં કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોની સામે પોતાનો આધાર ગુમાવી ચૂકી છે ત્યાં કોંગ્રેસ પક્ષ સંગઠનને નવેસરથી બેઠું કરશે.
સત્તાવાર રીતે તો કોંગ્રેસનું કહેવું છે કે તેને ચૂંટણીમાં સંપુર્ણ બહુમતી મળશે. એવામાં ત્રીજા મોરચાને સમર્થનનો કોઇ સવાલ નથી. પક્ષના સુત્રોનું માનીએ તો ટોચના નેતૃત્વએ કેટલાક નેતાઓના નિવેદનો ઉપર નાખુશી દર્શાવી છે તેમાં સલમાન ખુર્શીદનું એ નિવેદન પણ સામેલ છે કે જેમાં તેમણે થર્ડ ફ્રન્ટને સમર્થન આપવાની સલાહ આપી હતી.
કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું કહેવુ છે કે આ બાબતે અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ જ લેશે. જયાં સુધી બેઠકોનો સવાલ છે તો પક્ષમાં સૌનો અલગ-અલગ વિચાર છે. એક જુથ માને છે કે કોંગ્રેસ ત્રણ આંકડાને પાર કરી શકશે નહીં. જયારે બીજુ જુથ માને છે કે 140 બેઠકો મળી શકે તેમ છે.
-
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
