ચંદ્રબાબુ નાયડુ હોઈ શકે છે દેશના આગામી પ્રધાનમંત્રીઃએચ ડી દેવગૌડા
કોંગ્રેસના પોતાના જ સહયોગી જેડીએસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ દેશના આગામી પ્રધાનમંત્રી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ છે. તે ગઠબંધનમાં કોંગ્રેસના સહયોગી છે. વળી, કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસ સાથે ગઠબંધનની સરકાર ચલાવી રહી છે. પરંતુ હવે કોંગ્રેસના પોતાના જ સહયોગી જેડીએસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ દેશના આગામી પ્રધાનમંત્રી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. દેવગૌડાએ એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યુ કે ચંદ્રબાબુ નાયડુ દેશના પ્રધાનમંત્રી કેમ ના બની શકે.

નાયડુ બની શકે છે દેશના આગામી પ્રધાનમંત્રી
જેડીએસના પ્રમુખ દેવગૌડાએ કહ્યુ કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દેશના આગામી પ્રધાનમંત્રી બની શકે છે. તેમણે કહ્યુ કે ટીડીપી 150 વિધાનસભા સીટો પર જીત મેળવશે અને લોકસભા ચૂંટણીમાં 20 સીટો પર જીતશે. દેવગૌડાએ કહ્યુ કે ચંદ્રબાબુ નાયડુ સ્થાનિક દળોના ગઠબંધનની આગેવાની કરશે. જો કે તેમણે ટીઆરએસ પ્રમુખ અને તેલંગાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ વિશે કંઈ કહ્યુ નહિ. તમને જણાવી દઈએ કે કેસીઆર અને દેવગૌડા પાસે સમર્થન માંગ્યુ હતુ.

ભાજપને સત્તામાંથી બહાર કરવાનો સમય
આંધ્ર પ્રદેશના લોકોને અપીલ કરીને દેવગૌડાએ કહ્યુ કે ભાજપને સત્તામાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે, લોકોને ટીડીપી ઉમેદવારોને મત આપવો જોઈએ. તેમણે કહ્યુ કે ભગવા દળને આ ચૂંટણીમાં ધૂળ ચાટવી પડશે કારણકે તેણે ચૂંટણીના કરેલા પોતાના વચનો પૂરા નથી કર્યા. ભાજપે રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો ઈનકાર નથી કર્યો. દેવગૌડા અને નાયડુએ આંધ્ર પ્રદેશમાં રેલીને સંબોધિત કરી હતી. દેવગૌડાએ કહ્યુ કે વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીને મત આપવાનો કોઈ ફાયદો નથી કારણકે તેમની સામે ઘણા ગુનાહિત કેસ ચાલી રહ્યા છે.

નાયડુની ખૂબ પ્રશંસા કરી
આ રેલી દરમિયાન પોતાના ભાષણની શરૂઆતમાં દેવગૌડાએ કહ્યુ કે ટીડીપી ઝિંદાબાદ, ચંદ્રબાબુ ઝિંદાબાદ. તેમણે આ દરમિયાન નાયડુની ખૂબ પ્રશંસા કરી અને અમરાવતીના વિકાસ માટે કરેલા તેમના પ્રયત્નની પણ પ્રશંસા કરી. નાયડુએ પણ દેવગૌડાની પ્રશંસા કરતા કહ્યુ કે મુશ્કેલીના સમયમાં પણ દેવગૌડા સેક્યુલર રાજકારણનું સમર્થન કર્યુ અને દેશની અખંડતાને બચાવવામાં વિશેષ યોગદાન આપ્યુ. રસપ્રદ વાત એ છે કે ભાષણ દરમિયાન દેવગૌડાએ એક વાર ચંદ્રબાબુ નાયડુને આદરણીય પ્રધાનમંત્રી કહીને પણ સંબોધિત કર્યા. જો કે બાદમાં તેમણે પોતાને સુધારતા કહ્યુ કે આગામી પ્રધાનમંત્રી. તેમણે સ્પષ્ટ કર્યુ કે હું પીએમ પદની રેસમાં નથી.

સંસ્થાઓને બરબાદ કરી દીધી
દેવગૌડાએ કહ્યુ કે બધી સરકારી સંસ્થાઓને બરબાદ કરી દેવામાં આવી. મોદીને કોણ પડકારશે એ એક મુદ્દો છે. આ મીડિયામાં ચાલી રહ્યુ છે, નાયડુએ આની જવાબદારી લીધી છે. મોદીએ દેશની લોકતાંત્રિક સંસ્થાઓને બરબાદ કરી છે. પીએમ મોદી પર હુમલો કરતા દેવગૌડાએ કહ્યુ કે દેશમાં અઘોષિત ઈમરજન્સી હતી. તેમણે કહ્યુ કે કેન્દ્રની ભાજપ સરકાર સીબીઆઈ અને ઈડીનો વિરોધી પક્ષો સામે ઉપયોગ કરી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
