ઓક્ટોબર-નવેમ્બરમાં એલર્ટ રહેવું પડશે, કોરોનાને લઈ સરકારે આપ્યા સંકેત
ઓક્ટોબર-નવેમ્બરમાં એલર્ટ રહેવું પડશે, કોરોનાને લઈ સરકારે આપ્યા સંકેત
દેશમાં કોરોનાવાયરસની હાલની સ્થિતિ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે પ્રેસ બ્રીફિંગ આપી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્ત્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે દેશમાં પાછલા 24 કલાકમાં કોવિડના 30570 નવા મામલા આવ્યા હતા. જેમાંથી 68% મામલા કેરળથી સામે આવ્યા છે. બાકી રાજ્યોમાં હજી પણ કોવિડના મામલામાં ગિરાવટ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કેરળ એકમાત્ર એવું રાજ્ય છે, જેમાં 1 લાખથી વધુ એક્ટિવ મામલા છે. મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ એવાં રાજ્યો છે જેમાં કોવિડના સક્રિય મામલા 10 હજારથી 1 લાખ વચ્ચે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે પોઝિટિવિટી સતત ઘટી રહી છે. સાપ્તાહિક પોઝિટિવિટી પાછલા 11 અઠવાડિયાથી સતત 3% બની રહી છે. દેશમાં 34 જિલ્લા એવા છે જ્યાં 10 ટકાથી વધુ સાપ્તાહિક પોઝિટિવિટી છે, 32 એવા જિલ્લા છે જ્યાં 5-10% વચ્ચે સાપ્તાહિક પોઝિટિવિટી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જાણકારી આપતા કહ્યું કે દેશમાં 3631 PSA પ્લાંટ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ 4500 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકશે. જેમાંથી કેન્દ્રીય સંસાધનોથી 1491 પ્લાંટ અને અન્ય સંસાધનોથી 2140 પ્લાંટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ઓક્ટોબર- નવેમ્બરમાં વિશેષ ધ્યાન રાખવું પડશે
નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પૉલે કહ્યું કે આગામી 2-3 મહીના મહત્વપૂર્ણ છે, કેમ કે જ્યારે પણ દેશમાં ગમે ત્યાં ઉછાળો જોવા મળે છે, તો તેને તરત રોકવો પડશે. ડૉ પૉલે જણાવ્યું કે, અનુમાન કહે છે કે ઓક્ટોબર અને નવેમ્બર સૌથી મહત્વપૂર્ણ મહિના છે. ડૉ પૉલે કહ્યું કે આ વિશે સાર્વજનિક ડોમેનમાં આંકડાઓ ઉપલબ્ધ છે. આ તહેવાર અને ફ્લૂના મહિના પણ છે. આપણે આ બે મહિનાના સંબંધમાં વિશેષ સાવધાની રાખવી પડશે.

કેરળમાં ઘટી રહ્યું છે સંક્રમણ
બીજી તરફ ICMRના ડિરેક્ટર જનરલ ડૉ બલરામ ભાર્ગવે કહ્યું કે તહેવાર નજીક આવી રહ્યા છે અને કોઈપણ જગ્યાએ જનસંખ્યા ઘનત્વમાં અચાનક વધારાથી વાયરસના પ્રસાર માટે અનુકૂળ વાતાવરણ બને છે. આ વાતોને આપણે ધ્યાનમાં રાખવી પડશે. તેમણે જણાવ્યું કે આપણે કેરળના અમુક ઘટતું સંક્રમણ જોઈ રહ્યા ચીએ. અન્ય રાજ્ય પણ ભવિષ્યના ઉછાળાને ટાળવાના રસ્તે છે. ભાર્ગવે કહ્યું કે વેક્સીન લેવી, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું, જરૂરિયાત હોય તો જ સાવચેતી અને જવાબદારી નિભાવતાં યાત્રા કરવી અથવા તો ઉત્સવમાં સામેલ થવું સમયની માંગ છે.

બૂસ્ટર ડોઝ કેન્દ્રીય વિષય નથી
આ ઉપરાંત ICMRના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું કે વૈજ્ઞાનિક અને સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા ચર્ચામાં આ સમયે બૂસ્ટર ડોઝ કેન્દ્રીય વિષય નથી. બે ડોઝનું પૂર્ણ રસીકરણ પ્રાપ્ત કરવું એક પ્રમુખ પ્રાથમિકતા છે. કેટલીય એજન્સીઓએ ભલામણ કરી કે એન્ટીબોડીના સ્તરને માપવામાં ના આવે.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
