For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્નોફોલની અસર, ઠૂઠવાયુ શરીર, વાંચો આજના સમાચાર

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો કાઝિગુંડ ખાતે શ્રીનગર-જમ્મૂ હાઇવે ભારે સ્નોફોલ થવાના કારણે બંધ કરવામાં આવ્યો હતો. ગુવાહાટીના પાંડુ વિસ્તારમાં આગ લાગી હતી. જેમાં અનેકના ઘર સ્વાહા થઇ ગયા હતા. દક્ષિણ સુદાનમાં થયેલા હુમલામાં ભારતીય શાંતિદૂત સુબેદાર કેપી સિંહ શહીદ થયા હતા. જેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યારે અનેકની આંખો ભીની થઇ ગઇ હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

આગમાં સ્વાહ

આગમાં સ્વાહ

ગુવાહાટીના પાંડુ વિસ્તારમાં આગ લાગી હતી. જેમાં અનેકના ઘર સ્વાહા થઇ ગયા હતા. પોતાના આશિયાનાને માયુસ મને નીહાળી રહેલા લોકો.

યુવાનોને ટીપ્સ

યુવાનોને ટીપ્સ

કોલકતા ખાતે અન્ડર 17 ફિફા વિશ્વકપ માટે યુવાનોને ટીપ્સ આપી રહેલા લિજેન્ડરી બ્રાઝિલિયન સોકર પ્લેયર કાર્લોસ એલ્બેર્ટો તોરેસ.

આપ પાર્ટીની બેઠક

આપ પાર્ટીની બેઠક

નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન હસ્ત ધૂનૂન કરી રહેલા અરવિંદ કેજરીવાલ અને અન્ય પાર્ટીના ધારાસભ્યો.

સ્નોફોલની અસર

સ્નોફોલની અસર

કાઝિગુંડ ખાતે શ્રીનગર-જમ્મૂ હાઇવે ભારે હિમ વર્ષાના કારણે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે બરફમાં માર્ગ પસાર કરી રહેલો પરિવાર.

પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ

લખનઉ વિધાનસભા ભવન ખાતે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલિ અર્પતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખીલેશ યાદવ.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં આસામના સીએમ

સાંસ્કૃતિક કાર્યક્રમમાં આસામના સીએમ

તિન્સુકિયામાં માનવ કલ્યાણ ટ્રસ્ટ પુજાભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા આસામના મુખ્યમંત્રી તરુણ ગોગોઇ.

ભારતીય શાંતિદૂત શહીદ

ભારતીય શાંતિદૂત શહીદ

દક્ષિણ સુદાનમાં થયેલા હુમલામાં ભારતીય શાંતિદૂત સુબેદાર કેપી સિંહ શહીદ થયા હતા. જેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યારે અનેકની આંખો ભીની થઇ ગઇ હતી.

જાટ સમુદાયને મળ્યા કોંગ્રેસના ઉપાધ્યક્ષ

જાટ સમુદાયને મળ્યા કોંગ્રેસના ઉપાધ્યક્ષ

નવી દિલ્હી ખાતે જાટ સમુદાયના લોકોને મળી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી.

English summary
A woman walks with her son in a snow clad area during heavy snowfall on closed Srinagar Jammu National Highway at Qazigund on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X