પીરિયડ્ઝ નહિ પરંતુ આ હતુ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ?
મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ પીરિયડ્ઝ નહિ પરંતુ અયપ્પા સ્વામી પોતે છે.
હાલમાં સબરીમાલા મંદિર વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. જ્યાં એક તરફ કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે ઉભી છે ત્યાં બીજી તરફ મોટી સંખ્યામાં સંગઠન અને લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે. સબરીમાલા મંદિરમાં રજસ્વલા છોકરીઓ અને મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલિસ દ્વારા બળ પ્રયોગ કરાયા બાદ મંદિર જવાના મુખ્ય રસ્તા નિલક્કલમાં બુધવારની સવારે વાતાવરણ તણાવપૂર્ણ થઈ ગયુ છે. પોલિસે આ મામલે અત્યાર સુધી 50 લોકોની ધરપકડ કરી છે. જેમાં ત્રાવણકોર દેવાસમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ પણ શામેલ છે.

વિરોધનું શું છે કારણ?
પરંપરા અનુસાર લોકો આનું કારણ મહિલાઓના પીરિયડ્ઝ એટલે કે માસિક ધર્મ જણાવે છે કારણકે મંદિરમાં પ્રવેશથી 40 દિવસ પહેલા દરેક વ્યક્તિને તમામ રીતે પોતાને પવિત્ર રાખવાના હોય છે અને મંદિર બોર્ડ અનુસાર પીરિયડ્ઝ મહિલાઓને અપવિત્ર કરી દે છે. એવામાં સતત 40 દિવસ પોતાને પવિત્ર રાખવા સંભવ નથી.

પરંતુ પીરિયડ્ઝ જ કારણ નથી
પરંતુ ફર્સ્ટપોસ્ટની વેબસાઈટ મુજબ મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ પીરિયડ્ઝ નહિ પરંતુ અયપ્પા સ્વામી પોતે છે કારણકે અયપ્પા અવિવાહિત છે અને તે પોતાના ભક્તોની પ્રાર્થનાઓ પર પૂરુ ધ્યાન આપવા ઈચ્છે છે. એટલા માટે મહિલાઓને અહીં આવવાથી રોકવામાં આવી હતી. તેમના પીરિયડ્ઝ સાથે લેવા-દેવા નથી પરંતુ બાદમાં ધર્મશાસ્ત્રીઓએ પોતાના નિયમ બનાવી લીધા.

સબરીમાલા મંદિરના કપાટ
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે સાંજે 5 વાગે સબરીમાલા મંદિરના કપાટ ખુલવાના છે જ્યાં બધી મહિલાઓ અને યુવતીઓ પ્રવેશ કરી શકશે. મંદિર સાથે જોડાયેલા લોકો અને સ્વામી અયપ્પાના અનુયાયી સુપ્રીમ કોર્ટના નિર્ણયને તેમની આસ્થાની વિરુદ્ધ ગણાવી રહ્યા છે અને આના કારણે વિરોધ કરી રહ્યા છે. અયપ્પા સ્વામી મંદિરના દરવાજા પહેલી વાર આજે સાંજે ખુલશે અને 5 દિવસની માસિક પૂજા બાદ તે 22 ઓક્ટોબરે ફરીથી બંધ થઈ જશે.

શું હતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?
સુપ્રીમ કોર્ટે 10 થી 50 વર્ષની મહિલાઓના મંદિરમાં પ્રવેશને રોકવાની સદીઓ જૂની પરંપરાને ખોટી ગણાવતા તેને ખતમ કરાવી દીધી હતી અને બધી ઉંમરની મહિલાઓને પ્રવેશ કરવાની પરવાનગી આપી હતી.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
