For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Madhya Pradesh Political Crisis: મધ્ય પ્રદેશમાં ભાજપ કેવી રીતે બનાવી શકે છે સરકાર?

Madhya Pradesh Political Crisis: મધ્ય પ્રદેશમાં ભાજપ કેવી રીતે બનાવી શકે છે સરકાર?

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ હોળીના પર્વ પર મધ્ય પ્રદેશની રાજનીતિમાં રાજકીય રંગે કરવટ લધી છે, ગત એક અઠવાડિયાથી ચાલી રહેલ ઉથલ-પાથલ પર એવા સમયે તોફાન આવી ગયું જ્યારે એક સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ પાર્ટીથી રાજીનામા બાદ તાબડતોડ 19 કોંગ્રેસી ધારાસભ્યોએ પણ રાજીનામાં આપી દીધાં, જેનાથી 15 મહિના જૂના કમલનાથ સરકાર સામે અસ્તિત્વ બચાવવાનું સંકટ આવી ગયું છે.

એમપીમાં કોંગ્રેસની સરકાર સંકટમાં

એમપીમાં કોંગ્રેસની સરકાર સંકટમાં

કહેવાય છે કે રાજકીય ઉંટ ક્યારે કઈ તરફ કરવટ લે કહી ના શકાય, હાલ કોંગ્રેસથી નારાજ ચાલી રહેલ સિંધિયાએ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, જે બાદ કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઈ છે.

શું છે ગણિત

શું છે ગણિત

જણાવી દઈએ કે હાલ મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા સીટ છે પરંતુ બે ધારાસભ્યોના નિધન થયા હોવાના પગલે વિધાનસભામાં હાલ 228 સીટ થઈ ગઈ છે, કોઈપણ પાર્ટીને સરકાર બનાવવા માટે જાદૂઈ નંબર 115 જોઈએ અને જે તસવીર અત્યારે વિધાનસભામાં છે તે મુજબ કોંગ્રેસ પાસે 114 ધારાસભ્યો છે, જેમાંથી 4 અપક્ષ ઉમેદવારો, 2 બહુજન સમાજ પાર્ટી અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્યનું તેને સમર્થન મળેલું છે, એટલે કે હાલની સ્થિતિમાં કોંગ્રેસ પાસે કુલ 121 ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્ય છે.

આવી રીતે ભાજપ બનાવી શકે સરકાર

આવી રીતે ભાજપ બનાવી શકે સરકાર

પરંતુ હવે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને તેમની પાસે 20થી લઈ 24 ધારાસભ્યોનું સમર્થન જણાવવામાં આવી રહ્યું છે એવામાં કોંગ્રેસ બહુમતથી દૂર દેખાઈ રહી છે, જે હિસાબે એમપીમાં કમલનથનો બચાવ મુશ્કેલ દેખાઈ રહ્યો છે, જો આવું થયું તો કોંગ્રેસ પાસે માત્ર 101 ધારાસભ્યોનું સમર્થન રહી જશે, જ્યારે સરકાર ચલાવવા માટે જાદુઈ આંકડો 104 થઈ જશે.

બાગી ધારાસભ્યોએ હાલ બેંગ્લોરમાં ડેરા જમાવ્યા

બાગી ધારાસભ્યોએ હાલ બેંગ્લોરમાં ડેરા જમાવ્યા

એવામાં ભાજપ 107 ધારાસભ્યો સાથે આસાનીથી સરકાર બનાવી લેશે, અહીં ખાસ વાત તમને જણાવી દઈએ કે સપા, બસપા અને અપક્ષ ઉમેદવારોને પક્ષ પલટુ નિયમ લાગૂ નહિ પડે. કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસના બાગી ધારાસભ્યોએ હાલ બેંગ્લોરમાં ડેરા જમાવ્યા છે અને બધા ધારાસભ્યોના ફોન બંધ પડ્યા છે.

સિંધિયાના પિતરાઈ ભાઈનો દાવો- સિંધિયાએ રાહુલ ગાંધીને મળવાની બહુ કોશિશ કરીસિંધિયાના પિતરાઈ ભાઈનો દાવો- સિંધિયાએ રાહુલ ગાંધીને મળવાની બહુ કોશિશ કરી

English summary
here is how bjp can form government in madhya pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X