Shaheed Diwas 2020: ભારતમાં 23 માર્ચે કેમ મનાવાય છે શહીદ દિવસ, અહીં જાણો
Shaheed Diwas 2020: ભારતમાં 23 માર્ચે કેમ મનાવાય છે શહીદ દિવસ, અહીં જાણો
નવી દિલ્હીઃ દેશમાં દર વર્ષે 23 માર્ચને શહીદ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે આપણે એવા લોકોને યાદ કરીએ છીએ જેમણે આપણા દેશને આઝાદ કરાવવા માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું હતું. આ દિવસને વિશેષ રૂપે મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ યાદ કરવામાં આવે છે. કેમ કે આજના જ દિવસે 23 માર્ચ 1931ના આ મહાન ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી.

આ ત્રણેય પર વર્ષ 1928માં બ્રિટિશ પોલિસ અધિકારી જૉન સૈંડર્સની હત્યાનો આરોપ લગાવ્યો હતો. જણાવી દઈએ કે સૈંડર્સને બ્રિટિશ પોલીસ અધીક્ષક જેમ્સ સ્કૉટ સમજીને માર્યો હતો. લાઠીચાર્જનો આદેશ આપનાર સ્કૉટ જ હતો. આ લાઠીચાર્જના કારણે લાલા લજપતરાયનું નિધન થઈ ગયું હતું. દેશ માટે મર મિટનારાઓનું જ્યારે પણ નામ લેવામાં આવે છે તો તેમાં સૌથી ઉપર ભગત સિંહ, સુખદેવ અને રાજ્યગુરુને યાદ કરવામાં આવે છે. જેમણે બહુ ઓછા સમયમાં પોતાનું જીવન દેશ માટે ન્યોછાવર કરી દીધું હતું.
જ્યારે અંગ્રેજોનો અત્યાચાર વધી રહ્યો હતો ત્યારે સૌથી પહેલા લાહોરમાં સૈંડર્સને ગોળી મારી હત્યા કરવામાં આવી. જે બાદ પબ્લિક સેફ્ટી અને ટ્રેડ ડિસ્ટ્રીબ્યૂટ બિલના વિરોધમાં ભગત સિંહે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. જો કે તેમનો ઉદ્દેશ્ય માત્ર અંગ્રેજો સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો હતો ના કે કોઈને મારવાનો. આ ઘટના બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઘટનાને લઈ ભગત સિંહે કહ્યું હતું કે, જો બહેરાઓને સાંભળવા છે તો અવાજ બહુ જોરદાર હોવો જોઈએ. જ્યારે અમે બોમ્બ ફેંક્યો હતો, ત્યારે કોઈને મારવાનો ઉદ્દેશ્ય નહોતો. અમે અંગ્રેજી હકુમત પર બોમ્બ ફેંક્યો હતો. અંગ્રેજોએ ભારત છોડવું જોઈએ અને આઝાદ કરવા જોઈએ.
આ ત્રણેય શહીદ ક્રાંતિકારી દેશના યુવાઓ માટે માત્ર તે સમયે જ નહિ બલકે આજે પણ પ્રેરણા સ્રોત છે. બ્રિટિશ હુકુમતથી સામે બાથ ભિડનાર ત્રણ મહાન ક્રાંતિકારી ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં દર વર્ષે 23 માર્ચને શહીદ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે, જેથી તેમના બલિદાનને દેશ હંમેશા યાદ રાખે. તેમણે સ્વતંત્રતા માટે પોતાનો રસ્તો ખુદ બનાવ્યો હતો.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી












Click it and Unblock the Notifications
