Shaheed Diwas 2020: ભારતમાં 23 માર્ચે કેમ મનાવાય છે શહીદ દિવસ, અહીં જાણો
Shaheed Diwas 2020: ભારતમાં 23 માર્ચે કેમ મનાવાય છે શહીદ દિવસ, અહીં જાણો
નવી દિલ્હીઃ દેશમાં દર વર્ષે 23 માર્ચને શહીદ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે આપણે એવા લોકોને યાદ કરીએ છીએ જેમણે આપણા દેશને આઝાદ કરાવવા માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું હતું. આ દિવસને વિશેષ રૂપે મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ યાદ કરવામાં આવે છે. કેમ કે આજના જ દિવસે 23 માર્ચ 1931ના આ મહાન ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી.

આ ત્રણેય પર વર્ષ 1928માં બ્રિટિશ પોલિસ અધિકારી જૉન સૈંડર્સની હત્યાનો આરોપ લગાવ્યો હતો. જણાવી દઈએ કે સૈંડર્સને બ્રિટિશ પોલીસ અધીક્ષક જેમ્સ સ્કૉટ સમજીને માર્યો હતો. લાઠીચાર્જનો આદેશ આપનાર સ્કૉટ જ હતો. આ લાઠીચાર્જના કારણે લાલા લજપતરાયનું નિધન થઈ ગયું હતું. દેશ માટે મર મિટનારાઓનું જ્યારે પણ નામ લેવામાં આવે છે તો તેમાં સૌથી ઉપર ભગત સિંહ, સુખદેવ અને રાજ્યગુરુને યાદ કરવામાં આવે છે. જેમણે બહુ ઓછા સમયમાં પોતાનું જીવન દેશ માટે ન્યોછાવર કરી દીધું હતું.
જ્યારે અંગ્રેજોનો અત્યાચાર વધી રહ્યો હતો ત્યારે સૌથી પહેલા લાહોરમાં સૈંડર્સને ગોળી મારી હત્યા કરવામાં આવી. જે બાદ પબ્લિક સેફ્ટી અને ટ્રેડ ડિસ્ટ્રીબ્યૂટ બિલના વિરોધમાં ભગત સિંહે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. જો કે તેમનો ઉદ્દેશ્ય માત્ર અંગ્રેજો સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો હતો ના કે કોઈને મારવાનો. આ ઘટના બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઘટનાને લઈ ભગત સિંહે કહ્યું હતું કે, જો બહેરાઓને સાંભળવા છે તો અવાજ બહુ જોરદાર હોવો જોઈએ. જ્યારે અમે બોમ્બ ફેંક્યો હતો, ત્યારે કોઈને મારવાનો ઉદ્દેશ્ય નહોતો. અમે અંગ્રેજી હકુમત પર બોમ્બ ફેંક્યો હતો. અંગ્રેજોએ ભારત છોડવું જોઈએ અને આઝાદ કરવા જોઈએ.
આ ત્રણેય શહીદ ક્રાંતિકારી દેશના યુવાઓ માટે માત્ર તે સમયે જ નહિ બલકે આજે પણ પ્રેરણા સ્રોત છે. બ્રિટિશ હુકુમતથી સામે બાથ ભિડનાર ત્રણ મહાન ક્રાંતિકારી ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં દર વર્ષે 23 માર્ચને શહીદ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે, જેથી તેમના બલિદાનને દેશ હંમેશા યાદ રાખે. તેમણે સ્વતંત્રતા માટે પોતાનો રસ્તો ખુદ બનાવ્યો હતો.
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું










Click it and Unblock the Notifications
