કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને હાઇકોર્ટે આપી રાહત, BMCની નોટીસની કાર્યવાહી પર લગાવી રોક
બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે નારાયણ રાણેને મોકલેલી BMCની નોટિસ પર કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. BMCએ નારાયણ રાણેના જુહુના બંગલા 'આધિશ'માં ગેરકાયદે બાંધકામને લઈને ત્રીજી
બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે નારાયણ રાણેને મોકલેલી BMCની નોટિસ પર કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. BMCએ નારાયણ રાણેના જુહુના બંગલા 'આધિશ'માં ગેરકાયદે બાંધકામને લઈને ત્રીજી વખત નોટિસ મોકલી હતી.
BMCએ નારાયણ રાણેને 15 દિવસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે કહ્યું હતું. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે અન્યથા BMC પોતે જ ગેરકાયદે બાંધકામ તોડી પાડશે અને તેની કિંમત નારાયણ રાણે પાસેથી વસૂલવામાં આવશે.
નારાયણ રાણેની કંપની કાલકા રિયલ એસ્ટેટે નોટિસ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેના પર કોર્ટે મોટી રાહત આપતા BMCને રેગ્યુલરાઈઝેશન અરજી પર સુનાવણી કર્યા બાદ જ નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
કાલકા રિયલ એસ્ટેટે બંગલાના કથિત ગેરકાયદે રિનોવેશનને નિયમિત કરવાની માંગ કરી હતી. હાઈકોર્ટે તેના નિર્દેશમાં એમ પણ કહ્યું છે કે જો રેગ્યુલરાઈઝેશન માટેની અરજી પર BMCનો નિર્ણય રાણેની વિરુદ્ધ જાય છે, તો ત્રણ અઠવાડિયા સુધી બંગલા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.