હિંડનબર્ગ રિપોર્ટ: કોંગ્રેસ નેતાની યાચિકાની સુનવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર, તપાસની કરાઇ માંગ
હિંડનબર્ગના અહેવાલને લઈને સંસદથી લઈને શેરીઓમાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતા ડૉ.જયા ઠાકુરે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર કોર્ટે સુનાવણી કરવા સંમતિ આપી છે.
હિંડનબર્ગના અહેવાલને લઈને સંસદથી લઈને શેરીઓમાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતા ડૉ.જયા ઠાકુરે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર કોર્ટે સુનાવણી કરવા સંમતિ આપી છે. આ મામલે 17 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. ડો. જયા ઠાકુરે પોતાની અરજીમાં હિંડનબર્ગના અહેવાલને ટાંકીને અદાણી જૂથ સામે તપાસની માંગ કરી છે.

હકીકતમાં આ મામલો તાકીદની યાદી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેના પર CJIએ 24 ફેબ્રુઆરીની તારીખ આપી હતી, પરંતુ અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે આવા જ બે અન્ય કેસ પણ વિચારણા હેઠળ છે, જેની સુનાવણી 17 ફેબ્રુઆરીએ થવાની છે. જેના પર ચીફ જસ્ટિસે અરજીને પોતાની સાથે ટેગ કરતા તેની તારીખ પણ 17 ફેબ્રુઆરી કરી હતી.
અરજદારે તેની અપીલમાં જણાવ્યું હતું કે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અદાણી એન્ટરપ્રાઇઝના FPOમાં શેર દીઠ રૂ. 3,200ના ભાવે રોકાણ કર્યું હતું, જ્યારે સેકન્ડરી માર્કેટમાં શેર પ્રતિ શેર રૂ. 1,800 આસપાસ હતો. આવી સ્થિતિમાં તેમની ભૂમિકાની તપાસ થવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓએ લાખો કરોડ રૂપિયાના જાહેર નાણાંની ઉચાપત કરી છે. અરજદારે CBI, ED, DRI, SEBI, RBI, SFIO વગેરે જેવી તપાસ એજન્સીઓ દ્વારા તપાસની માંગ કરી છે.
તપાસ સમિતિ માટે કેન્દ્ર તૈયાર
અદાણી-હિંડનબર્ગ કેસને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા અને તમામ હકીકતો બેન્ચ સમક્ષ મૂકી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મામલે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે તો સરકારને કોઈ વાંધો નથી. એટલે કે સરકાર સમિતિની રચના કરવા સંમત થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
