શંકરાચાર્યનો મંત્ર: મોદીને ફરી PM બનાવવા દસ બાળકો પેદા કરો
લખનઉ, 18 જાન્યુઆરી: હિન્દુઓને વધારે બાળકો પેદા કરવાના વિવાદિત નિવેદનોમાં હવે જોશીમઠ ઉત્તરાખંડના જગદગુરુ સ્વામી વાસુદેવાનંદસરસ્વતીએ પણ ઝંપલાવ્યું છે. અલ્હાબાદમાં માઘ મેળામાં સંત સમ્મેલનમાં તેમણે ભાજપ સાંસદ સાક્ષી મહારાજના હિન્દુઓને ચાર-ચાર બાળકો પેદા કરવાના નિવેદનને સમર્થન આપ્યું અને જણાવ્યું કે ચાર-ચાર નહીં પરંતુ હિન્દુઓ દસ-દસ બાળકોને જન્મ આપે. એટલું જ નહીં તેમણે ફિલ્મ 'પીકે'ની વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કરવામાં આવેલી વ્યાખ્યા 'પાકિસ્તાની કુત્તા'ને પણ મંચ પરથી વાગોળી હતી.
સંગમની રેતી પર થઇ રહેલા સંત સમ્મેલનમાં જગદગુરુ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ હિન્દુઓને જણાવ્યું કે સરકાર બે બાળકો પેદા કરવાનું કહે છે, પરંતુ હિન્દુ સમાજના લોકો એક જ બાળક પેદા કરે છે, એવામાં તેઓ શું કરશે. એક બાળક નાતો દેશ સેવા ના કરી શકે અને ના માતાપિતાની સેવા કરી શકે. એવામાં હિન્દુઓએ દસ-દસ બાળકો પેદા કરે. તેમાંથી એકને આઇપીએસ બનાવો, બીજાને પીસીએસ, ત્રીજાને વ્યાપારી, કેટલાંકને ખેતીમાં લગાવો અને જેને ના પાળી શકો તેને સંતોના ત્યાં મોકલી આપો. તેઓ બાળકોની પરવરિશ કરીને દેશ સેવામાં લગાવી દેશે.

તેમણે દલિલ રજૂ કરતા જણાવ્યું કે જે ઝડપથી હિન્દુઓની વસ્તી ઓછી થઇ રહી છે અને અન્ય ધર્મના લોકોની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે, તેનાથી લાગે છે કે ભારત જેવા દેશમાં પણ હિન્દુ થોડા વર્ષો બાદ લઘુમતી થઇ જશે. શંકરાચાર્યએ ઘર વાપસી કાર્યક્રમ પર જણાવ્યું કે જે મરજીથી પોતાના જૂના ધર્મમાં પરત આવવા માંગતા હોય તેને ગંગાજળ પિવડાવીને લાવી શકાય છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
