ચૂંટણી હાર્યા બાદ પણ ઉમેદવાર મુખ્યમંત્રી કેવી રીતે બને છે? જાણો શું છે પુરી પ્રકિયા?
પાંચ રાજ્યોની ચૂંટણી પુરી થયા બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાતો થઈ રહી છે ત્યારે એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે કોઈ નેતા ચૂંટણી હારીને કેવી રીતે મુખ્યમંત્રી બની શકે?
સોશિયલ મીડિયા પર આ સવાલ સતત પુછાઈ રહ્યો છે કે ચૂંટણીમાં હાર્યા પછી પણ ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવી શકાય? આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ચૂંટણી લડ્યા વિના કે હાર્યા બાદ પણ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવી શકાય છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ 164(4) મુજબ બહુમતી મેળવનાર પક્ષ દ્વારા પ્રસ્તાવ પર અથવા કોઈપણ પક્ષને બહુમતી ન મળે તો તે રાજ્યના રાજ્યપાલ સત્તાનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવી શકે છે.
રાજ્યપાલ પોતાની સત્તાનો ઉપયોગ કરીને કોઈપણ સામાન્ય માણસને રાજ્યના મુખ્યમંત્રી બનાવી શકે છે પરંતુ આ માટે કેટલાક નિયમો છે. કોઈપણ વ્યક્તિને 6 મહિના સુધી જ મુખ્યમંત્રી બનાવી શકાય છે.
જો તે કાર્યકાળ પૂરો કરવા માંગતા હોય તો શપથ લીધાના 6 મહિનાની અંદર તેમણે રાજ્યની કોઈપણ વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડીને સભ્ય તરીકે ચૂંટાઈને ગૃહમાં પ્રવેશ કરવો પડે છે.
દેશમાં ઘણા મોટા નેતાઓ ચૂંટણી હારીને કે લડ્યા વગર મુખ્યમંત્રી બન્યા છે. 2017માં બીજેપીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતીને સાંસદ રહેલા યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બનવા માટે રાજીનામું આપવું પડ્યું હતું. યોગી આદિત્યનાથ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડવાના બદલે વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. સીએમની સાથે તેમના ચાર એવા મંત્રીઓ પણ હતા, જેમણે વિધાનસભાની ચૂંટણી લડી ન હતી. આવી સ્થિતિમાં મંત્રી પદ પર રહેવા માટે તેમને છ મહિનામાં યુપીના કોઈપણ એક ગૃહના સભ્ય બનવું જરૂરી હોય છે.
આ પછી સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને ડો. દિનેશ શર્મા અને પરિવહન રાજ્ય મંત્રી સ્વતંત્રદેવ સિંહ અને રાજ્ય મંત્રી મોહસીન રઝા વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
આ લિસ્ટમાં બીજું મોટું નામ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીનું છે. સીએમ પુષ્કર સિંહ ધામી ઘાટીમા સીટ પરથી ચૂંટણી હારી ગયા પરંતુ તેમ છતાં પાર્ટીએ તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા.
મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી પુષ્કર સિંહ ધામીએ 6 મહિનામાં ચંપાવત વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડી અને જીત મેળવી હતી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
