ચૂંટણી હાર્યા બાદ પણ ઉમેદવાર મુખ્યમંત્રી કેવી રીતે બને છે? જાણો શું છે પુરી પ્રકિયા?
પાંચ રાજ્યોની ચૂંટણી પુરી થયા બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાતો થઈ રહી છે ત્યારે એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે કોઈ નેતા ચૂંટણી હારીને કેવી રીતે મુખ્યમંત્રી બની શકે?
સોશિયલ મીડિયા પર આ સવાલ સતત પુછાઈ રહ્યો છે કે ચૂંટણીમાં હાર્યા પછી પણ ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવી શકાય? આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ચૂંટણી લડ્યા વિના કે હાર્યા બાદ પણ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવી શકાય છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ 164(4) મુજબ બહુમતી મેળવનાર પક્ષ દ્વારા પ્રસ્તાવ પર અથવા કોઈપણ પક્ષને બહુમતી ન મળે તો તે રાજ્યના રાજ્યપાલ સત્તાનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવી શકે છે.
રાજ્યપાલ પોતાની સત્તાનો ઉપયોગ કરીને કોઈપણ સામાન્ય માણસને રાજ્યના મુખ્યમંત્રી બનાવી શકે છે પરંતુ આ માટે કેટલાક નિયમો છે. કોઈપણ વ્યક્તિને 6 મહિના સુધી જ મુખ્યમંત્રી બનાવી શકાય છે.
જો તે કાર્યકાળ પૂરો કરવા માંગતા હોય તો શપથ લીધાના 6 મહિનાની અંદર તેમણે રાજ્યની કોઈપણ વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડીને સભ્ય તરીકે ચૂંટાઈને ગૃહમાં પ્રવેશ કરવો પડે છે.
દેશમાં ઘણા મોટા નેતાઓ ચૂંટણી હારીને કે લડ્યા વગર મુખ્યમંત્રી બન્યા છે. 2017માં બીજેપીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતીને સાંસદ રહેલા યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બનવા માટે રાજીનામું આપવું પડ્યું હતું. યોગી આદિત્યનાથ વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડવાના બદલે વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. સીએમની સાથે તેમના ચાર એવા મંત્રીઓ પણ હતા, જેમણે વિધાનસભાની ચૂંટણી લડી ન હતી. આવી સ્થિતિમાં મંત્રી પદ પર રહેવા માટે તેમને છ મહિનામાં યુપીના કોઈપણ એક ગૃહના સભ્ય બનવું જરૂરી હોય છે.
આ પછી સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને ડો. દિનેશ શર્મા અને પરિવહન રાજ્ય મંત્રી સ્વતંત્રદેવ સિંહ અને રાજ્ય મંત્રી મોહસીન રઝા વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
આ લિસ્ટમાં બીજું મોટું નામ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીનું છે. સીએમ પુષ્કર સિંહ ધામી ઘાટીમા સીટ પરથી ચૂંટણી હારી ગયા પરંતુ તેમ છતાં પાર્ટીએ તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા.
મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી પુષ્કર સિંહ ધામીએ 6 મહિનામાં ચંપાવત વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડી અને જીત મેળવી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
