કોરોના થયો હોય તેમણે 6 મહિના સર્જરી કરાવવી નહીં, ICMRએ કેમ આપી આવી સલાહ
કોરોના થયો હોય તેમણે 6 મહિના સર્જરી કરાવવી નહીં, ICMRએ કેમ આપી આવી સલાહ
- લક્ષણો ન દેખાયા હોય તેવા કોવિડ દર્દીઓની સર્જરી માટે 4 અઠવાડિયા ઇંતેજાર કરવો જોઈએ
- હળવા લક્ષણોવાળા કોવિડ દર્દીઓએ 6 અઠવાડિયા સુધી અંતેજાર કરવો જોઈએ
- ગંભીર બીમારી વાળા દર્દીઓએ 8થી 10 અઠવાડિયા સુધી સર્જરી ન કરવી જોઈએ
- કોવિડના કારણે જે દર્દીઓએ ICUમાં રહેવું પડ્યું હોય તેમણે 12 અઠવાડિયાનો ઇંતેજાર કરવો જોઈએ
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ટાસ્ક ફોર્સ ફૉર કોવિડ 19ના નિષ્ણાંતોએ કોરોનાથી સાજા થયેલા દર્દીઓને ઓછામા ઓછી 6 મહિના સુધી સામાન્ય સર્જરી ન કરાવવાની સલાહ આપી છે, જેથી તેઓ તેજીથી સ્વસ્થ થઈ શકેય.એટલું જ નહિ, કોઈપણ સર્જરી માટે આરટી-પીસીઆર રિપોર્ટની પણ જરૂર પડે છે, પરંતુ એક્સપર્ટનું મંતવ્ય છે કે 102 દિવસમાં આ ટેસ્ટ ફરીથી કરાવવા પર રિપોર્ટ પોઝિટિવ પણ આવી શકે છે, કેમ કે મરેલો વાયરસ શરીરમાં હાજર હોય શકે છે, જેનાથી અલગ પ્રકારની ચિંતા પેદા થઈ શકે છે. માટે નિષ્આંતોએ ઈમરજન્સી સર્જરી અને નૉન ઈમરજન્સી સર્જરી માટે અલગ અલગ સલાહ આપી છે અને સાથે જ કોવિડના અલગ-અલગ લક્ષણો વાળા દર્દીઓ માટે પણ સર્જરી કરાવવા માટે અલગ-અલગ સમય માટે ટિપ્સ આપી છે.

102 દિવસમાં ફરી રિપોર્ટ પોઝિટિવ આવી શકે
ICMR અને નેશનલ ટાસ્ક ફોર્સ ફૉર કોવિડ 19ના એક્સપર્ટ્સ મુજબ કોવિડ બાદ જો વ્યક્તિ નૉન-અર્જન્ટ અથવા ઈલેક્ટિવ સર્જવી કરાવવા માંગે છે તો સર્જન તે પહેલાં આરટી પીસીઆર ટેસ્ટ કરાવવા માટે કહેશે. પરંતુ એ દરમિયાન ભલે વ્યક્તિ કોવિડથી સાજો થઈ ગયો હોય પરંતુ તેના શરીરમાં વાયરસનો મૃત ભાગ હાજર હોય શકે છે, જે નુકસાનકારક તો નથી હોતો, પરંતુ તેને પગલે ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે. જ્યારે કોવિડના બીજીવાર ઈન્ફેક્શનની વાત 102 દિવસ બાદની તપાસથી જ કન્ફર્મ થઈ શકે છે. માટે સંક્રામક બીમારીના નિષ્ણાંત સંજય પુજારીએ ટીઓઆઈ સાથેની વાતચીતમાં સલાહ આપી કે વધુ જરૂરી ન હોય તો આવી સર્જરી 102 દિવસ બાદ જ કરવી જોઈએ.

કોવિડ દર્દીઓની સર્જરીમાં ખાસ સાવધાની જરૂરી
જો કે, ઈમરજન્સી સર્જરીના મામલામાં પછી તે કોવિડ દર્દીની વાત હોય કે તેનાથી સ્વસ્થ થઈ ચૂકેલા લોકોના એક્સપર્ટે તેને તત્કાલ તમામ સાવધાનીઓ સાથે કરાવવાની સલાહ આપી હોય. ડૉક્ટર પુજારીએ કોવિડથી બહાર આવી ચૂકેલા લોકોની સર્જરી પહેલાની તપાસમાં કેટલીક ખાસ ચીજોના મહત્વ પર ખાસ જોર આપ્યું છે. એટલે કે, તેમણે કાર્ડિયોપલ્મોનરી સિસ્ટમ પર વિશેષ ધ્યાન આપવાની વાત કહી છે. તેમના મુજબ જે દર્દીઓને કોવિડ થયો હોય, તેમનામાં થાક, શ્વાસમાં કમી અને છાતીમાં દુખાવાના લક્ષણો રહેવા સામાન્ય છે. આ લક્ષણ તપાસના 60 દિવસથી પણ વધુ સમય સુધી હાજર રહી શકે છે. તેમણે ઓપરેશન પહેલાં અમેરિકન સોસાયટી ઑફ એનેસ્થેસિયોલોજીની ગાઈડલાઈન મુજબ રિસ્ક એસેસમેન્ટની પણ એડવાઇઝ આપી છે.

102 દિવસ પહેલાં તપાસ કરાવવી સમયની બરબાદી જ છે
કેટલાક ડૉક્ટર્સે તો ત્યાં સુધી સલાહ આપી છે કે કોવિડથી સાજા થયેલા લોકોની 102 દિવસમાં ફરીથી તપાસ કરાવવી સમયની બરબાદી છે અને તેનાથી ચિંતા જ વધે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
