Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

#PChidambarama: તિહાર જેલમાં સામાન્ય કેદીની જેમ પસાર થઈ ચિદમ્બરમની પહેલી રાત

તિહાર જેલમાં ચિદમ્બરમની એન્ટ્રી ગેટ નંબર ચારમાંથી થઈ. ગુરુવારે તેમની જેલમાં પહેલી રાત હતી.

દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં મોકલી દીધા છે. તિહાર જેલમાં ચિદમ્બરમની એન્ટ્રી ગેટ નંબર ચારમાંથી થઈ. ગુરુવારે તેમની જેલમાં પહેલી રાત હતી. જેલમાં બંધ કરતા પહેલા ચિદમ્બરમનો મેડીકલ ટેસ્ટ કરવામાં આવ્યો. ડિનરમાં રોટલી, દાળ અને ભાત આપવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે રાઉઝ એવન્યુ કોર્ટે ચિદમ્બરમના વકીલની તેમને સીબીઆઈ કસ્ટડીમાં જ રાખવાની કે ઘરે નજરકેદ રાખવાની દલીલ ન માનીને 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલ મોકલી દીધા છે.

તિહારમાં જેલ નંબર 7માં ચિદમ્બરમ

તિહારમાં જેલ નંબર 7માં ચિદમ્બરમ

આ પહેલા મીડિયા સાથે વાત કરતા તિહાર જેલના ડાયરેક્ટર જનરલ (ડીજી) સંદીપ ગોયલે જણાવ્યુ હતુ કે પી ચિદમ્બરમ તિહાર જેલમાં જેલ નંબર 7માં રહેશે. તેમને એક અલગ સેલમાં રાખવામાં આવશે. કોંગ્રેસ નેતાને જમવામાં રોટલી, દાળ અને શાક આપવામાં આવશે. આ ઉપરાંત કોર્ટના આદેશ મુજબ વેસ્ટર્ન ટોયલેટ પણ પૂરુ પાડવામાં આવશે.

તિહાર જેલમાં ડીજી સંદીપ ગોયલે આપી માહિતી

તિહાર જેલમાં ડીજી સંદીપ ગોયલે આપી માહિતી

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના સીબીઆઈ રિમાન્ડ 5 સપ્ટેમ્બરે ખતમ થઈ ગયા. ત્યારબાદ તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા જ્યાં કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલી દીધા. કોર્ટના આદેશ બાદ ચિદમ્બરમના વકીલે કોર્ટમાંથી જેલમાં તેમને અલગ સેલમાં રાખવાની અપીલ કરી. રાઉઝ એવન્યુ કોર્ટે તેને માનીને ચિદમ્બરમને અલગ સેલ પૂરો પાડવા અને વિશેષ સુરક્ષાનો આદેશ આપ્યો.

જેલમાં દવાઓ મળશે

જેલમાં દવાઓ મળશે

એટલુ જ નહિ કોર્ટે બીજા પણ અમુક મહત્વા આદેશ જારી કર્યા છે. કોર્ટે ચિદમ્બરના આરોગ્યનુ ધ્યાન રાખીને તેમને નિયમિત રીતે જેલમાં દવાઓ આપવાનો આદેશ જારી કર્યો છે. તેમને સેલમાં વેસ્ટર્ન ટૉયલેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. આઈએનએક્સ મીડિયા કેસમાં મની લૉડ્રિંગ કેસમાં ચિદમ્બર 15 દિવસથી સીબીઆઈ કસ્ટડીમાં હતા. ચિદમ્બરમને 21 ઓગસ્ટના રોજ સીબીઆઈએ કસ્ટડીમાં લીધા હતા. વળી, કોર્ટના આદેશ બાદ જ્યારે ચિદમ્બરમને તેમની ન્યાયિક કસ્ટડી વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે હાલમાં મને માત્ર અર્થવ્યવસ્થાની ચિંતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X