કોરોના સંકટ માટે કેટલો તૈયાર છે દેશ? 27 મોક ડ્રિલ સાથે ઇનજન્સી સેવા પર ફોક્સ
માનવ સંસાધન ક્ષમતામાં પ્રશિક્ષિત આરોગ્ય સંભાળ વ્યવસાયિકો, ગંભીર કેસો માટે વેન્ટિલેટર મેનેજમેન્ટ પ્રોટોકોલમાં તાલીમ પામેલા આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો, પીએસએ પ્લાન્ટના સંચાલનમાં તાલીમ પામેલા આરોગ્ય સંભાળ કાર્યકરો વગેરે હશે
નવી દિલ્હી : કોરોના એકવાર ફરીથી માથુ ઉંચકી રહ્યો છે. ચીન સહિત ઘણા દેશમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. આ સાથે સાથે ભારતમાં પણ કોરોના સંક્રમણનું જોખમની શક્યતા છે. જે કારણે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 27 ડિસેમ્બરના રોજ દેશની આરોગ્ય સુવિધાની જાણકારી મેળવવા માટે મોક ડ્રિલ આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મોક ડ્રિલ અસાધારણ થવા જઇ રહી છે. જેનાથી દેશમાં ઉપબ્ધ આરોગ્ય સુવિધા વિશે જાણકારી મળશે.

આરોગ્ય સચિવે લખ્યો હતો પત્ર
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરાયેલ 24 ડિસેમ્બરના પત્રમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે, તે જરૂરી છે કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કોઈપણ કટોકટીને નિયંત્રિત કરવા માટે જરૂરી જાહેર આરોગ્ય પગલાં લે.
આ સાથે જો કોરોનાના કેસોમાં વધારો થાય તો તબીબી સંભાળની જરૂરિયાતો પૂરી કરી શકાય છે.
મંત્રાલયે જણાવ્યું હતું, તેથી સમગ્ર દેશમાં તમામ આરોગ્ય સુવિધાઓ ખાસ કરીને કોરોના સંબંધિત પર મંગળવાર, 27 ડિસેમ્બર, 2022 ના રોજ મોક ડ્રિલ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બેડથી લઈને ડૉક્ટર અને નર્સનું મૂલ્યાંકન કરાશે
મોક ડ્રિલ દરમિયાન આઇસોલેશન, ઓક્સિજન અને ICU બેડની ક્ષમતાનું ખાસ મૂલ્યાંકન કરવામાં આવશે. તમામ જિલ્લાઓની ભૌગોલિકસ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્ય સુવિધાઓ, પથારીની ક્ષમતા, આઈસોલેશન બેડ, ઓક્સિજન સપોર્ટેડ આઈસોલેશન બેડ, આઈસીયુ બેડઅને વેન્ટિલેટર સપોર્ટેડ બેડની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. માનવ સંસાધનોની ઉપલબ્ધતાનું પણ ધ્યાન રાખવામાં આવશે.
આમાં ડૉકટર્સ, નર્સો અને પેરામેડિક્સનો સમાવેશ થાય છે. આયુષ ડૉકટર્સ, આશા, આંગણવાડી કાર્યકરો વગેરે સહિત અન્ય ફ્રન્ટલાઈનકાર્યકરો પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

દવા, લોજિસ્ટિક્સ, એમ્બ્યુલન્સથી લઈને RAT કિટ સુધીની તપાસ કરવામાં આવશે
માનવ સંસાધન ક્ષમતામાં પ્રશિક્ષિત આરોગ્ય સંભાળ વ્યવસાયિકો, ગંભીર કેસો માટે વેન્ટિલેટર મેનેજમેન્ટ પ્રોટોકોલમાં તાલીમ પામેલાઆરોગ્ય સંભાળ વ્યાવસાયિકો, પીએસએ પ્લાન્ટના સંચાલનમાં તાલીમ પામેલા આરોગ્ય સંભાળ કાર્યકરો વગેરે હશે.
રેફરલ સેવાઓમાંઅદ્યતન અને મૂળભૂત જીવન સહાય (ALS/BLS) એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા, અન્ય એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા (PPP મોડ હેઠળઅથવા NGO સાથે), કાર્યાત્મક એમ્બ્યુલન્સ કોલ સેન્ટરોની ઉપલબ્ધતાનો પણ સમાવેશ થશે.
ટેસ્ટિંગ ક્ષમતા વધારવા અનેઆરટી-પીસીઆર અને આરએટી કીટની ઉપલબ્ધતા, પરીક્ષણ સાધનો અને રિએજન્ટ્સની ઉપલબ્ધતાનું પણ ધ્યાન રાખવામાં આવશે.
લોજિસ્ટિક્સની ઉપલબ્ધતા, આવશ્યક દવાઓની ઉપલબ્ધતા, વેન્ટિલેટર, BIPAP, SPO2 સિસ્ટમ, PPE કિટ, N-95 માસ્ક વગેરેનીપણ તપાસ કરવામાં આવશે.
મેડિકલ ઓક્સિજનમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ઓક્સિજન સિલિન્ડર, પીએસએ પ્લાન્ટ, લિક્વિડ મેડિકલઓક્સિજન સ્ટોરેજ ટાંકી, મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ વગેરે પણ જોવા મળશે.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ મોક ડ્રિલ કરવામાં આવશે
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે નજીકના પરામર્શમાં સંબંધિત જિલ્લા કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી શકે છે.
આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા શનિવારના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, ચીન સહિત પાંચ દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આંતરરાષ્ટ્રીય આગમન માટે RT-PCR પરીક્ષણ ફરજિયાત છે.
આગમન પર જો આ દેશોના કોઈપણ મુસાફરોમાં કોવિડ -19 ના લક્ષણો જોવા મળે છે, તો તેને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

સહકારની ભાવનામાં કામ કરવાની જરૂર છે
સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ ANIને જણાવ્યું કે, આ એશિયન દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પણ વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિજાહેર કરવા માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત બનાવવામાં આવશે.
વૈશ્વિક સ્તરે કોવિડના વધતા કેસોની નોંધ લેતા, કેન્દ્રીયઆરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યોએ અગાઉના વેવ દરમિયાન કર્યું હતું તેમ સંબંધિત અને સહકારની ભાવના સાથે કામ કરવાની જરૂર છે.
શુક્રવારના રોજ રાજ્યના આરોગ્ય પ્રધાનો, મુખ્ય સચિવો, અધિક મુખ્ય સચિવો અને માહિતી કમિશનરો સાથેની વર્ચ્યુઅલ મીટિંગની અધ્યક્ષતામાં, માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશને કોવિડ મેનેજમેન્ટ માટે સજાગ અને સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની જરૂર છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
