મન કી બાત નો 100 મો એપિસોડ આજ, ઐતિહાસિક બનવાની ઘડીની તૈયારી, રિકોર્ડિગન વીડિયો પણ બહાર પડાયો
Man Ki Baat 100 the Episode: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ મન કી બાતનો આજે 100 મો એપિસોડ પ્રસારીત થશે. આ ઐતિહાસિક અવસર પર સરકાર અને બીજેપીએ જોરદાર તૈયારી કરી છે. આજ સવારે 11 વાગ્યે 100 મો એપિસોડ પ્રસારીત કરવામાં આવશે. મન કી બાતના 100 મા એપિસોડ પહેલા વીડિયો બહાર પડાવામાં આવ્યો છે. જેમા જોઇ શકાય છે કે,મન કી બાત કાર્યક્રમનું રેકોર્ડીગ કરવા દરમિયાન કેવી તૈયારી કરવામાં આવે છે.

આ કાર્યક્રમ પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીના આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર રિકોર્ડ કરવામાં આવે છે. આ રેકોર્ડિગ માટે સૌથી વધારે તૈયારી કરવામાં આવી છે. આજ ઓલ ઇન્ડિયા રેડિયાો અને દુરદર્શન પર પીએમ મોદીનો 100 મન કી બાત કાર્યક્રમ પ્રસારિત રવામાં આવશે. 3 ઓક્ટોબર 2014 ની મન કી બાતનો સૌથી પહેલો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારથી આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત કરવામાં આવે છે.
મન કી પાત કાર્યક્રમના 100 માં એપિસોડને યાદગાર બનાવવા માટે બીજેપી અને સરકાર ે રુપરેખા તૈયાર કરી છે. પાર્ટી તરફથી પોતાના તમામ જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ આને સફળ બનાવવાની જવાબાદારી સોપી છે. બીજેપીના તમામ સાસદો અને ધારાસભ્યોએ મન કી બાત પ્રસારણ સાંભળવા માટે વિશેષ આયોજન કર્યુ છે. આ અનુસાર વધારેમાં વધારે લોકોનો સમાવેશ કરવાનુ લક્ષ્યાંક છે. આમ લોકોથી લઇને બુદ્ધીજીવિઓ સુધી તમામની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
