For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાધે માં: હું શુદ્ધ અને પવિત્ર છું, અને મને મારા ભક્તોથી પ્રેમ છે!

|
Google Oneindia Gujarati News

એક પછી એક વિવાદોમાં સપડાયેલા રાધે માંએ આજે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફર્ન્સ કરીને રાધે માં આજે મીડિયાને જણાવ્યું કે તે નિર્દોષ છે. લાલ રંગની ચણિયાચોળી અને હાથમાં ત્રિશૂળ લઇને મીડિયા સમક્ષ હાજર રહેનાર રાધે માં કહ્યું કે તેમના પર લાગેલા તમામ આરોપામાં તેમનો કોઇ જ વાંક નથી. વળી તેમણે કહ્યું કે તે મીડિયા અને પોલિસનો ખૂબ જ આદર કરે છે.

radhe maa

સાથે જ પોતાને નિર્દોષ સાબિત કરતા રાધે માં કહ્યું કે તે પવિત્ર અને શુદ્ધ છે. અને મને નાહક ખોટી રીતે હેરાન કરવામાં આવી રહી છે. વધુમાં પોતાના ભક્તો વિષે તેમણે કહ્યું કે જે ભક્ત મારી પાસે આવે છે તેમની પર ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તો તેને મારો ચમત્કાર સમજે છે. જેમાં મારો કોઇ વાંક નથી.

વળી તેમણે કહ્યું કે તે તેમના ભક્તોથી ખૂબ જ પ્રેમ કરે છે. નોંધનીય છે કે મુંબઇ પોલિસ હાલમાં જ રાધે માં પર એક સમન્સ જાહેર કર્યો છે. અને તે અંતર્ગત 14 ઓગસ્ટે તેમની પોલિસ સમક્ષ પૂછપરછ પણ થવાની છે. વળી રાધે માં પણ દહેજ ઉત્પીડન અને અશ્લીલતા ફેલાવવા જેવા આરોપો લગાવવામાં આવ્યા છે.

English summary
Self-styled godwoman Radhe Maa, known for her glamorous lifestyle denied all allegations, saying that she is innocent, pure and pious and truth will emerge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X