સિતાપુર જેલથી રિહા થઇ રામપુરા પહોંચ્યા આઝમ ખાન, બોલ્યા- મને મળી રહી છે એન્કાઉન્ટરની ધમકી
સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને રામપુરના ધારાસભ્ય આઝમ ખાનને 20 મેના રોજ સીતાપુર જિલ્લા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ આઝમ ખાનની મુક્તિ થઈ છે. તેમની મુક્તિ બાદ સપા નેતા આઝમ
સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને રામપુરના ધારાસભ્ય આઝમ ખાનને 20 મેના રોજ સીતાપુર જિલ્લા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ આઝમ ખાનની મુક્તિ થઈ છે. તેમની મુક્તિ બાદ સપા નેતા આઝમ ખાન રામપુર પહોંચ્યા અને મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન આઝમ ખાને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, આઝમ ખાને કહ્યું, 'મને એન્કાઉન્ટરની ધમકીઓ મળી રહી છે.'

આઝમ ખાન બે વર્ષ, બે મહિના અને 24 દિવસ પછી શુક્રવારે જેલમાંથી મુક્ત થયા હતા. આઝમ ખાનની મુક્તિ દરમિયાન કાર્યકર્તાઓએ ફૂલ વરસાવીને તેમનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ પણ આઝમ ખાનને લેવા સીતાપુર જેલ પહોંચ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ આઝમ ખાન રામપુર સ્થિત પોતાના ઘરે પહોંચ્યા અને મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન આઝમ ખાને કહ્યું, 'મને એન્કાઉન્ટરની ધમકી મળી છે.
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા આઝમ ખાને જામીન અંગે કહ્યું, 'મેં સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે મારી ઈમાનદારી પર શંકા નથી. મને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે. સપા છોડીને કોઈ બીજી પાર્ટીમાં જવાના સવાલ પર આઝમ ખાને કહ્યું, 'હાલમાં મારા માટે બીજેપી, બસપા અને કોંગ્રેસ કોઈ મોટો પ્રશ્ન નથી, કારણ કે મારી, મારા પરિવાર અને મારા લોકો પર હજારો કેસ દાખલ કરવામાં આવ્યા છે. '
અખિલેશ યાદવ વિશે પૂછવામાં આવેલા સવાલ પર મૌન રહ્યા. જોકે, ઈશારામાં આઝમ ખાને કહ્યું હતું કે મારી બરબાદીમાં મારા પ્રિયજનોનો હાથ છે. પ્રભુ એમને બુદ્ધિ આપે. આઝમ ખાને વધુમાં કહ્યું કે જે રીતે હાઈકોર્ટના કેટલાક નિર્ણયોમાં અને સુપ્રીમ કોર્ટમાંથી 100 ટકા કેસોમાં અમને ન્યાય મળ્યો છે, તે માત્ર એટલું જ કહી શકાય કે સુપ્રીમ કોર્ટે તેને આપવામાં આવેલી સત્તાનો યોગ્ય અને ન્યાયી ઉપયોગ કર્યો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
