સેક્સ સીડી સાથે મારે કોઈ લેવા-દેવા નથી, આ મારા વિરુદ્ધ ષડયંત્ર - રમેશ જારકીહોલી
ભાજપ ધારાસભ્ય રમેશ જારકીહોલીએ કહ્યુ કે તેમને આ સેક્સ સીડી સાથે કોઈ લેવા-દેવા નથી.
બેંગુલુરુઃ ભાજપ ધારાસભ્ય રમેશ જારકીહોલી જેમને કથિત સેક્સ સ્કેન્ડલમાં નામ સામે આવવાના કારણે કર્ણાટકમાં મંત્રીપદથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ, તેમણે કહ્યુ કે તેમને આ સેક્સ સીડી સાથે કોઈ લેવા-દેવા નથી અને તેમને એક ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે. રમેશ જારકીહોલીએ મંગળવારે કહ્યુ, 'આ સેક્સ સીડીમાં કોઈ સચ્ચાઈ નથી. આ એક ષડયંત્ર છે. હું નિર્દોષ છુ. મને 4 મહિના પહેલા આ સીડી વિશે જાણવા મળ્યુ હતુ, પછી મે મારા પોતાના ભાઈને આના વિશે જણાવ્યુ કે મે કંઈ ખોટુ નથી કર્યુ. આમાં જે વ્યક્તિ છે તે હું નથી. મને હાઈ કમાન્ડથી એક ફોન આવ્યો, તેમણે કહ્યુ કે આવુ(ષડયંત્ર) થઈ શકે છે અને તમે કાનૂની મદદ લો. ત્યારે પણ મે કહ્યુ હતુ કે હું આ આરોપો સામે લડીશ.'

રમેશે આગળ કહ્યુ કે મીડિયાએ તેમને ખલનાયક અને નાયક બંને બનાવી દીધા છે. પોતાના રાજીનામા વિશે તેમણે કહ્યુ કે તેમણે રાજીનામુ એટલા માટે આપ્યુ કારણકે તે નહોતા ઈચ્છતા કે તેમની પાર્ટીને શરમમાં મૂકાવુ પડે. તેમણે કહ્યુ, 'રાજીનામુ આપવુ મારો પોતાનો નિર્ણય હતો. મે આરોપોનુ પરિણામ જોવા માટે રાજીનામુ આપવાની એક રાત પહેલા રાહ જોઈ. સીએમ યેદિયુરપ્પાએ મને રાજીનામુ આપવા માટે નહોતુ કહ્યુ. પાર્ટીને કોઈ શરમમાં ન મૂકાવુ પડે એટલા માટે મે આગલી સવારે રાજીનામુ આપી દીધુ.'
તમને જણાવી દઈએ કે સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લહલ્લીની એક ફરિયાદ બાદ (જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમણે નોકરી માંગવા આવેલી એક મહિલાનુ યૌન ઉત્પીડન કર્યુ અને કોઈને આના વિશે જણાવવા પર ગંભીર પરિણામ ભોગવવાની પણ ધમકી આપી હતી). ભાજપ ધારાસભ્ય રમેશ જારકીહોલીએ બુધવારે 3 માર્ચે રાજ્ય કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
