વિપક્ષની એકતાની કોશિશો વચ્ચે કોંગ્રેસ-સીપીએમ પર મમતાએ કર્યો હુમલો, કહ્યું- આ સંગઠનને તોડી દઇશ
ગયા અઠવાડિયે જ પટનામાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોની એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુત્રધારની ભૂમિકા ભજવી હતી. પરંતુ, વિપક્ષી એકતાની ભવ્ય બેઠકના ત્રણ દિવસ પછી, ટીએમસી સુપ્રીમોએ કોંગ્રેસ અને સીપીએમ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે.
મમતા બેનર્જીએ રાજ્યમાં સીપીએમ અને કોંગ્રેસની ભૂમિકાની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે તે કેન્દ્રમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ, રાજ્યમાં તેમની ભગવા વિરોધી છાવણીની હરકતો તેમના પ્રયત્નોમાં અવરોધ ઉભી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા શુક્રવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાનીમાં એક ડઝનથી વધુ વિપક્ષી દળો અને લગભગ 32 વિપક્ષી નેતાઓની બેઠક બાદ, 2024ની લોકસભાની ચૂંટણી ભાજપ સામે એક થઈને લડવાની જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હી પર કેન્દ્રના વટહુકમ સામે કોંગ્રેસ સાથે મતભેદ હોવા છતાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. માહિતી અનુસાર, તે બેઠકમાં બેનર્જીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને વચ્ચે બેસીને વિવાદ ઉકેલવાની સલાહ પણ આપી હતી.
TMC સુપ્રીમો પંચાયત ચૂંટણી માટે રેલી કરવા પશ્ચિમ બંગાળના કૂચ બિહાર પહોંચ્યા, ત્યારે કોંગ્રેસ અને CPIM પ્રત્યે તેમનું વલણ બદલાઈ ગયું હતું. તૃણમૂલ પ્રમુખે રેલીમાં કહ્યું, 'અમે કેન્દ્રમાં ભાજપ વિરુદ્ધ મહાજોત (મહાગઠબંધન) બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ, સીપીએમ અને કોંગ્રેસ બંગાળમાં ભાજપ સાથે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બંગાળના સીએમ બેનર્જીએ ચેતવણી આપી હતી કે, 'હું બંગાળમાં આ નાપાક સાંઠગાંઠ તોડી નાખીશ.' છેલ્લા 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે મમતા બેનર્જીએ કોંગ્રેસ અને સીપીએમ પર ભાજપ સાથે મૌન સમજણનો આરોપ લગાવતા નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના આરોપો સાથે સહમત થતા CPM એ પણ કહ્યું છે કે 'આટલા વર્ષોમાં TMCએ ભાજપ સામેની લડાઈમાં શું ભૂમિકા ભજવી છે તે આપણે બધા જાણીએ છીએ. પાર્ટીએ કહ્યું છે કે ભાજપ સામે કેવી રીતે લડવું તે અંગે કોંગ્રેસ અને સામ્યવાદીઓને લેક્ચર આપનાર તેઓ છેલ્લા વ્યક્તિ હોવા જોઈએ.
ભાજપે બંગાળમાં સીપીએમ અને કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારની સમજૂતીના આરોપોને ફગાવ્યા છે. બીજેપી નેતા રાહુલ સિન્હાએ કહ્યું, 'CPM, કોંગ્રેસ અને TMC એક જ હોડીમાં છે. ભાજપ જ રાજ્ય સરકારની જનવિરોધી નીતિઓ સામે લડી રહ્યું છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
