સનાતન ધર્મ વિરૂદ્ધ બોલવાનું ચાલુ રાખીશ-ઉધયનિધિ સ્ટાલિન
ભારતમાં સતત હિન્દુ ધર્મ પર આરોપ લાગી રહ્યા છે કે તે સમાનતા અને સામાજીક ન્યાયની વિરૂદ્ધ છે ત્યારે હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિએ પણ આ વાતને દોહરાવી છે અને આગળ પણ દોહરાવવાની વાત કરી છે.
ઉધય સ્ટાલિન હાલમાં જ તેમના હિન્દુ ધર્મ પરના એક નિવેદનને કારણે વિવાદમાં આવ્યા હતા. હવે તેમને આ વિવાદને વધારે હવા આપતા કહ્યું છે કે તે આવનારા સમયમાં પણ સનાતન ધર્મ વિરુદ્ધ બોલવાનું ચાલુ રાખશે.

સનાતન ધર્મ વિવાદ બાદ ફરીથી ઉધયનિધિ સ્ટાલિને એલાન કર્યુ અને કહ્યું કે, ગઈ કાલે મેં એક કાર્યક્રમમાં સનાતન ધર્મ વિશે વાત કરી હતી. મેં જે પણ કહ્યું, હું તેને વારંવાર પુનરાવર્તિત કરીશ. મેં તમામ ધર્મોનો સમાવેશ કર્યો છે, માત્ર હિંદુઓનો જ નહીં. મેં ભેદભાવની નિંદા કરી છે.
હાલમાં જ ઉધયનિધિ સ્ટાલિનના આ નિવેદન બાદ મોટો વિવાદ સર્જાયો હતો. દેશના તમામ પક્ષો આ મુદ્દે નિવેદન આપતા જોવા મળ્યા છે. માત્ર એટલુ જ નહીં કોંગ્રેસે પણ નિવેદનની ટીકા કરી હતી. કોંગ્રેસ નેતા કરણ સિંહે પણ આ નિવેદનને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યુ હતુ.
આ નિવેદનમાં તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉધયનિધિ સ્ટાલિને એક કાર્યક્રમમાં આરોપ લગાવ્યો કે, સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાય વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, તેને નાબૂદ કરી દેવો જોઈએ.
Thoothukudi, Tamil Nadu | Tamil Nadu Minister Udhayanidhi Stalin says, “Day before yesterday I spoke at a function about it (Sanatana Dharma). Whatever I said, I'll repeat the same thing again and again...I included all the religions and not just Hindus...I spoke condemning the… pic.twitter.com/kpY13KBIZd
— ANI (@ANI) September 4, 2023
તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ વાયરસ અને મચ્છરથી થતા તાવ સાથે કરી અનેકહ્યું કે, આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ.
બીજી તરફ આ નિવેદન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમ વિવિધ રાજકીય પક્ષોએ સનાતન ધર્મ પર ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણીની ટીકા કરી હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
