સનાતન ધર્મ વિરૂદ્ધ બોલવાનું ચાલુ રાખીશ-ઉધયનિધિ સ્ટાલિન

ભારતમાં સતત હિન્દુ ધર્મ પર આરોપ લાગી રહ્યા છે કે તે સમાનતા અને સામાજીક ન્યાયની વિરૂદ્ધ છે ત્યારે હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિએ પણ આ વાતને દોહરાવી છે અને આગળ પણ દોહરાવવાની વાત કરી છે.

ઉધય સ્ટાલિન હાલમાં જ તેમના હિન્દુ ધર્મ પરના એક નિવેદનને કારણે વિવાદમાં આવ્યા હતા. હવે તેમને આ વિવાદને વધારે હવા આપતા કહ્યું છે કે તે આવનારા સમયમાં પણ સનાતન ધર્મ વિરુદ્ધ બોલવાનું ચાલુ રાખશે.

Udhayanidhi Stalin

સનાતન ધર્મ વિવાદ બાદ ફરીથી ઉધયનિધિ સ્ટાલિને એલાન કર્યુ અને કહ્યું કે, ગઈ કાલે મેં એક કાર્યક્રમમાં સનાતન ધર્મ વિશે વાત કરી હતી. મેં જે પણ કહ્યું, હું તેને વારંવાર પુનરાવર્તિત કરીશ. મેં તમામ ધર્મોનો સમાવેશ કર્યો છે, માત્ર હિંદુઓનો જ નહીં. મેં ભેદભાવની નિંદા કરી છે.

હાલમાં જ ઉધયનિધિ સ્ટાલિનના આ નિવેદન બાદ મોટો વિવાદ સર્જાયો હતો. દેશના તમામ પક્ષો આ મુદ્દે નિવેદન આપતા જોવા મળ્યા છે. માત્ર એટલુ જ નહીં કોંગ્રેસે પણ નિવેદનની ટીકા કરી હતી. કોંગ્રેસ નેતા કરણ સિંહે પણ આ નિવેદનને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યુ હતુ.

આ નિવેદનમાં તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉધયનિધિ સ્ટાલિને એક કાર્યક્રમમાં આરોપ લગાવ્યો કે, સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાય વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, તેને નાબૂદ કરી દેવો જોઈએ.

તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ વાયરસ અને મચ્છરથી થતા તાવ સાથે કરી અનેકહ્યું કે, આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ.

બીજી તરફ આ નિવેદન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમ વિવિધ રાજકીય પક્ષોએ સનાતન ધર્મ પર ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણીની ટીકા કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X