સનાતન ધર્મ વિરૂદ્ધ બોલવાનું ચાલુ રાખીશ-ઉધયનિધિ સ્ટાલિન
ભારતમાં સતત હિન્દુ ધર્મ પર આરોપ લાગી રહ્યા છે કે તે સમાનતા અને સામાજીક ન્યાયની વિરૂદ્ધ છે ત્યારે હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિએ પણ આ વાતને દોહરાવી છે અને આગળ પણ દોહરાવવાની વાત કરી છે.
ઉધય સ્ટાલિન હાલમાં જ તેમના હિન્દુ ધર્મ પરના એક નિવેદનને કારણે વિવાદમાં આવ્યા હતા. હવે તેમને આ વિવાદને વધારે હવા આપતા કહ્યું છે કે તે આવનારા સમયમાં પણ સનાતન ધર્મ વિરુદ્ધ બોલવાનું ચાલુ રાખશે.

સનાતન ધર્મ વિવાદ બાદ ફરીથી ઉધયનિધિ સ્ટાલિને એલાન કર્યુ અને કહ્યું કે, ગઈ કાલે મેં એક કાર્યક્રમમાં સનાતન ધર્મ વિશે વાત કરી હતી. મેં જે પણ કહ્યું, હું તેને વારંવાર પુનરાવર્તિત કરીશ. મેં તમામ ધર્મોનો સમાવેશ કર્યો છે, માત્ર હિંદુઓનો જ નહીં. મેં ભેદભાવની નિંદા કરી છે.
હાલમાં જ ઉધયનિધિ સ્ટાલિનના આ નિવેદન બાદ મોટો વિવાદ સર્જાયો હતો. દેશના તમામ પક્ષો આ મુદ્દે નિવેદન આપતા જોવા મળ્યા છે. માત્ર એટલુ જ નહીં કોંગ્રેસે પણ નિવેદનની ટીકા કરી હતી. કોંગ્રેસ નેતા કરણ સિંહે પણ આ નિવેદનને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યુ હતુ.
આ નિવેદનમાં તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉધયનિધિ સ્ટાલિને એક કાર્યક્રમમાં આરોપ લગાવ્યો કે, સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાય વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, તેને નાબૂદ કરી દેવો જોઈએ.
Thoothukudi, Tamil Nadu | Tamil Nadu Minister Udhayanidhi Stalin says, “Day before yesterday I spoke at a function about it (Sanatana Dharma). Whatever I said, I'll repeat the same thing again and again...I included all the religions and not just Hindus...I spoke condemning the… pic.twitter.com/kpY13KBIZd
— ANI (@ANI) September 4, 2023
તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ વાયરસ અને મચ્છરથી થતા તાવ સાથે કરી અનેકહ્યું કે, આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ.
બીજી તરફ આ નિવેદન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમ વિવિધ રાજકીય પક્ષોએ સનાતન ધર્મ પર ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણીની ટીકા કરી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
