પૂર્વ કોંગ્રેસ મુખ્યમંત્રીએ સિદ્ધુને આપ્યો અભિનંદનની સ્વદેશ વાપસીનો શ્રેય
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીએ અભિનંદનની મુક્તિનો શ્રેય નવજોત સિંહ સિદ્ધુને આપ્યો છે.
વિંગ કમાંડર અભિનંદમ સ્વદેશ પાછા આવી ગયા છે. અભિનંદનની મુક્તિ બાદ તમામ નેતા તેમના સ્વાગત અને દિલેરીની પ્રશંસા કરી રહ્યા છે. ઈમરાન ખાન પોતાની પીઠ સ્વયં થપથપાવીને શ્રેય લઈ રહ્યા છે. બીજી તરફ આને ભારતની કૂટનીતિક સફળતા ગણાવવામાં આવી રહી છે એમ કહીને તે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાન એકદમ અળગુ પડી ગયુ હતુ. વળી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીએ અભિનંદનની મુક્તિનો શ્રેય નવજોત સિંહ સિદ્ધુને આપ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનનો પીછો કરતા અભિનંદમ વર્ધમાન પોતાના મિગ-21 વિમાનથી એલઓસી પાર કરીને જતા રહ્યા હતા. આ દરમિયાન તેમનુ વિમાન ક્રેશ થઈ ગયુ. ત્યારબાદથઈ તે પાક સેનાની પકડમાં હતા. ઓમન ચાંડીએ અભિનંદનનું સ્વાગત કરીને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર લખ્યુ, 'નવજોત સિંહ સિદ્ધુના વાસ્તવિક પ્રયાસો અને પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના સદભાવ માટે ધન્યવાદ. મને આશા છે કે સીમા પર બંને તરફ શાંતિ જળવાઈ રહેશે.'
Humbled Sir, my courage has multiplied manifold...
— Navjot Singh Sidhu (@sherryontopp) 1 March 2019
Your words give me the strength to walk the path of truth fearlessly and inspire me never to compromise with moral values! @Oommen_Chandy 🙏🏼
उसूलों पर आंच आए तो टकराना जरूरी है,
जिंदा हो तो जिंदा नजर आना जरूरी है| https://t.co/XoRkGNE1VD
ઓમન ચાંડીના આ ટ્વીટનો જવાબ આપતા નવજોત સિંહ સિદ્ધુએ લખ્યુ, 'આપના ઉત્સાહવર્ધનથી મારુ સાહસ અનેક ગણુ વધી ગયુ છે. આપના શબ્દ મને નીડરતાપૂર્વક સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા અને નૈતિક મૂલ્યોથી ક્યારેય સમજૂતી ના કરવાની તાકાત આપે છે. સિદ્ધુએ આગળ બે લાઈનો લખી - ઉસૂલો પર આંચ આયે તો ટકરાના જરૂરી હે, જિંદા હો તો જિંદા નજર આના જરૂરી હે.'
આ પણ વાંચોઃ મા તુઝે સલામઃ માતૃભૂમિની રક્ષા માટે અભિનંદનની માએ પુત્રને આ રીતે કર્યા તૈયાર