આઇબીના એલર્ટ બાદ બોધગયામાં થયા સીરિયલ બ્લાસ્ટ, કોણ જવાબદાર?
પટણા, 8 જુલાઇ: શાંતિના પ્રતિક બૌધ ધર્મનું સૌથી મોટા મંદિર બોધગયા એક પછી એક સીરિયલ બ્લાસ્ટના ધમાકાથી મચમચી ઉઠ્યું. બે-બે મિનિટના અંતરે અહીં નવ ધમાકા થયા જ્યારે બે જીવતા બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા. સવારે 5:25 વાગે ધમાકાનો સિલસિલો શરૂ થઇ ગયો હતો અને એક પછી એક 9 બ્લાસ્ટ થયા હતા. ભલે આ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં બોધમંદિરને કંઇ નુકસાન ન થયું હોય, પરંતુ મંદિર પરિસરમાં લગાવમાં આવેલા બોધિવૃક્ષને ભારે નુકસાન થયું છે.
પવિત્ર બોધગયામાં થયેલા બ્લાસ્ટ સરકારની નિષ્ફળતા દર્શાવે છે. બોધગયામાં થયેલો આતંકી હુમલા સુરક્ષા એજન્સીની નિષ્ફળતા તરફ આંગળી ચિંધે છે. આઇબીએ આ અંગે પહેલાં જ એલર્ટ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારને પણ હુમલાની ચેતાવણી આપવામાં આવી હતી. ગુપ્તચર વિભાગે એલર્ટ જાહેર કરતાં કહ્યું હતું કે નેપાળના રસ્તેથી બે આતંકી બિહારમાં પ્રવેશ્યા હતા.
હૈદ્રાબાદથી ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી મકબૂલે એનઆઇએની પૂછપરછમાં જણાવ્યું હતું કે બોધગયા મંદિર પર આતંકી હુમલો થઇ શકે છે. આ અંગે 26 જૂનના રોજ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

આતંકીઓ દ્વારા મળેલી આ મહત્વપૂર્ણ જાણકારીને એનઆઇએએ બિહાર સરકારને આપી હતી અને એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેમછતાં બિહાર સરકારે મંદિરો અને સાર્વજનિક સ્થળોને સુરક્ષા પુરી પાડવા માટે કોઇ પગલાં ભર્યા ન હતા.
આટલું જ નહી આઇબીએ પણ એક અઠવાડિયા પહેલાં એલર્ટ જાહેર કર્યો હતો. મકબૂલે સ્વિકાર્યું હતું કે તેને બોધગયામાં મહાબોધિ મંદિરની રેકી કરી હતી. તેને મંદિરની વીડિયો ક્લિપ પણ બનાવી હતી. પોલીસ આ ઇશારાન સમજી શકતી તે પહેલાં બોધગયામાં સીરિયલ બ્લાસ્ટ થઇ ગયા.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ






Click it and Unblock the Notifications
