હું મોઢું ખોલીશ તો ભાજપના નેતાઓ મુશ્કેલીમાં મુકાઇ જશે: નિતિશ
પટના, 25 જૂન: એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ જેડીયૂ પર પ્રહાર કરનાર ભાજપા નેતાઓને મુખ્યમંત્રી નિતિશ કુમારે ઇશારા-ઇશારામાં સાવધાન કરી દિધા છે. નિતિશ કુમારે સલાહ આપતાં કહ્યું હતું કે જો તેમને મોઢું ખોલ્યું તો ભાજપાના કેટલાય નેતાઓ મુશ્કેલીમાં મુકાઇ જશે. એક કાર્યક્રમમાં નિતિશ કુમારે પત્રકારોને કહ્યું હતું કે જો હું મારું મોઢું ખોલીશ તો કેટલાય લોકો મુશ્કેલીમાં મુકાઇ જશે.
રવિવારે પટણામાં એક રેલીને સંબોધિત કરતાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યાં હતા. જેડીએ નરેન્દ્ર મોદી પર નિરંકુશતા, તોડનાર નેતાનો આરોપ લગાવ્યો હતો.
પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે નરેન્દ્ર મોદી અને પોતાના નેતૃત્વમાં અચાનક ખોટ જોવા મળવા પર જેડીયૂ નેતાની ટીકા કરી હતી. આ સાથે રાજનાથ સિંહે કોંગ્રેસ સાથે જેડીયૂ નજકીદીને લઇને નિતિશ કુમારને ચેતવ્યા હતા.
એનડીએ સાથે જેડીયૂએ છેડો ફાડ્યો બાદ ભાજપાના કેટલાક નેતા નિતિન ગડકરી, સુશીલ કુમાર મોદી, નંદકિશોર યાદવ, રાજીવ પ્રતાપ રુડી, રવિશંકર પ્રસાદ, સીપી ઠાકુર અને મંગલ પાંડેએ નિતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું.