For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું મોઢું ખોલીશ તો ભાજપના નેતાઓ મુશ્કેલીમાં મુકાઇ જશે: નિતિશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટના, 25 જૂન: એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ જેડીયૂ પર પ્રહાર કરનાર ભાજપા નેતાઓને મુખ્યમંત્રી નિતિશ કુમારે ઇશારા-ઇશારામાં સાવધાન કરી દિધા છે. નિતિશ કુમારે સલાહ આપતાં કહ્યું હતું કે જો તેમને મોઢું ખોલ્યું તો ભાજપાના કેટલાય નેતાઓ મુશ્કેલીમાં મુકાઇ જશે. એક કાર્યક્રમમાં નિતિશ કુમારે પત્રકારોને કહ્યું હતું કે જો હું મારું મોઢું ખોલીશ તો કેટલાય લોકો મુશ્કેલીમાં મુકાઇ જશે.

રવિવારે પટણામાં એક રેલીને સંબોધિત કરતાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યાં હતા. જેડીએ નરેન્દ્ર મોદી પર નિરંકુશતા, તોડનાર નેતાનો આરોપ લગાવ્યો હતો.

nitish-kumar

પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે નરેન્દ્ર મોદી અને પોતાના નેતૃત્વમાં અચાનક ખોટ જોવા મળવા પર જેડીયૂ નેતાની ટીકા કરી હતી. આ સાથે રાજનાથ સિંહે કોંગ્રેસ સાથે જેડીયૂ નજકીદીને લઇને નિતિશ કુમારને ચેતવ્યા હતા.

એનડીએ સાથે જેડીયૂએ છેડો ફાડ્યો બાદ ભાજપાના કેટલાક નેતા નિતિન ગડકરી, સુશીલ કુમાર મોદી, નંદકિશોર યાદવ, રાજીવ પ્રતાપ રુડી, રવિશંકર પ્રસાદ, સીપી ઠાકુર અને મંગલ પાંડેએ નિતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું.

English summary
In a veiled threat to BJP leaders on the offensive against him after JD(U) parted ways with the NDA partner, Chief Minister Nitish Kumar on Monday said that if he opened his mouth, many of them would be in trouble.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X