રાફેલ ડીલ સસ્તી હતી તો 126ને બદલે 26 વિમાન જ કેમ ખરીદ્યાં?: એન્ટની
પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીએ ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર કરતા પૂછ્યું કે જ્યારે ડીલ સસ્તામાં થઈ રહી હતી તો 126ને બદલે માત્ર 36 રાફેલ જ કેમ ખરીદ્યાં?
નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઈને કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ પ્રહારો કર્યા છે. પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીએ ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર કરતા પૂછ્યું કે જ્યારે ડીલ સસ્તામાં થઈ રહી હતી તો 126ને બદલે માત્ર 36 રાફેલ જ કેમ ખરીદ્યાં? રાફીલ ડીલના મુદ્દા પર કોંગ્રેસે મંગળવારે સાંજે ચાર વાગ્યે મોટો ખુલાસો કરવાનો પણ દાવો કર્યો છે.

126 રાફેલ ખરીદવાના પ્રસ્તાવને કેમ ઘટાડ્યો?
રાફેલના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરતા સરકારને પૂછ્યું કે 126 રાફેલ ખરીદવાના પ્રસ્તાવને ઘટાડીને 36 સુધી જ કેમ સિમિત કરી દીધાં? એમણે કહ્યું કે યૂપીએ સરકારના આખરી દિવસોમાં જ રાફેલ કરાર લગભગ પૂરો થઈ ગયો હતો. પરંતુ જ્યારે 2014માં એનડીએ સરકાર અસ્તિત્વમાં આવી, ત્યારે 10 એપ્રિલ 2015ના રોજ રાફેલ વિમાન રાફેલ વિમાન એકતરફી ખરીદવાનો ફેસલો કરી લીધો. એમણે કહ્યું કે પીએમ મોદીએ જણાવવું જોઈએ, જ્યારે એરફોર્સે 126 વિમાન માંગ્યાં હતાં તો તેને ઘટાડીને 36 કેમ કરી દીધાં?

દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવી
એન્ટનીએ એનડી સરકાર પર હુમલો કરતા કહ્યું કે યુપીએની ડીલને સમાપ્ત કરવામાં ન આવત તો HALને અત્યાધુનિક ટેક્નિક મેળવવાનો મોકો મળી શકત જે ભારતે હવે ગુમાવી દીધો. એમણે કહ્યું કે હવે ફાઈટર વિમાન બનાવવાનો અનુભવ નહી મળી શકે. ઉપરાંત આરોપ લગાવતા કહ્યું કે રાફેલ ડીલમાં દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવી છે.

મોદી પર પ્રહાર કર્યો
એકે એન્ટનીએ કહ્યું કે કોંગ્રેસની સ્પષ્ટ માગણી છે કે જેપીસી આ ડીલની તપાસ કરે. HAL સારો એવો પ્રોફિટ કરતી કંપની હતી પણ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન કંપની વિવિધ બેંકો પાસેથી હજારો કરોડની લોન લેવા મજબૂર થઈ ગઈ. એમણે કહ્યું કે કાયદા મંત્રી આ ડીલને 9 ટકા સસ્તી ગણાવી રહ્યા છે, નાણા મંત્રી આ ડીલને 20 ટકા સસ્તી ગણાવી રહ્યા છે અને વાયુસેનાના અધિકારીઓ આ ડીલને 40 ટકા સસ્તી ગણાવી રહ્યા છે, તો પછી 126 રાફેલ કેમ ન ખરીદ્યાં?
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
