છૂટ દરમિયાન સજાગતા જરૂરી નહિતો સ્થિતિ વધુ બગડશેઃ આરોગ્ય મંત્રાલય
આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યુ છે કે કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટંસીંગ એટલે કે અંતર જાળવવુ ખૂબ જ જરૂરી છે.
આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યુ છે કે કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટંસીંગ એટલે કે અંતર જાળવવુ ખૂબ જ જરૂરી છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે અમુક એરિયામાં લૉકડજાઉમાં છૂટ મળી રહી છે પરંતુ આ ધ્યાનમાં રાખવામાં આવે કે ભીડ ન થયા અને લોકો સામાજિક અંતર જાળવવાના નિયમનુ પાલન કરે. અગ્રવાલે જણાવ્યુ છે કે કોવિડ-19 મહામારીમાં જોવામાં આવ્યુ છે કે જો પ્રતિબંધમાં છૂટ મળવા પર સોશિયલ ડિસ્ટંસિંગની ધજિયા ઉડાવવામાં આવશે તો સંક્રમણ વધવાનુ જોખમ અનેક ગણુ વધી જાય છે.
આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે જે જિલ્લાઓમાં કેસ નથી આવ્યા ત્યાં છૂટ મળે છે પરંતુ ત્યાં કેસ આવે તો છૂટ પાછી લેવામાં આવશે. આ બિમારી બહુ ઝડપથી ફેલાય છે પરંતુ લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટંસિંગના કારણે આવુ નથી થયુ. એટલા માટે બધાએ નિયમોનુ પાલન કરવાનુ છે અને સાવચેતી રાખવાની છે. લવ અગ્રવાલે માહિતી આપી છે કે છેલ્લા 24 કાલમાં 1074 લોકો ઈલાજ બાદ રિકવર થયા છે અને 2553 નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા હવે 42,533 થઈ ગઈ છે અને 1373 મોત થયા છે.
દેશમાં અત્યારે 29453 એક્ટિવ કેસ છે એટલે કે આ લોકોનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 11707 દર્દી રિકવર થઈ ગયા છે. ભારતમાં કોરોના સંક્રમણના કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં પીડિતોની સંખ્યા 12,974 છે અને કુલ મોત 548 છે જ્યારે ગુજરાતમાં પીડિતોની સંખ્યા 5428 છે અને 290 લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્લી 4549, તમિલનાડુ 3023, રાજસ્થાન 2886 અને મધ્ય પ્રદેશ 2846 કેસ છે.
આ પણ વાંચોઃ સુરતમાં પ્રવાસી મજૂરોએ પોલિસ પર ફરીથી કર્યો પત્થરમારો, ઘરે જવાની કરી માંગ