આજે લોકસભા ચૂંટણી થઈ તો મહારાષ્ટ્રમાં કઈ પાર્ટીને ફાયદો? જાણો શું કહે છે લેટેસ્ટ ઓપિનિયન પોલ?
ઈન્ડિયા ગઠબંધન અને બીજેપી બન્નેએ લોકસભાની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે મહારાષ્ટ્રને લઈને એબીપી-સી વોટરનો સર્વે સામે આવ્યો છે.
એનડીએના વિજય રથને રોકવા વિપક્ષી પાર્ટીઓ રાજકીય સમીકરણને ફિટ કરવાનો પ્રયાસ કરી રહી છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોને કારણે બીજેપીનો આત્મવિશ્વાસ ચરમસીમા પર છે. કેટલાક રાજ્યો તેના માટે મોટો પડકાર બની શકે છે, જ્યાં આ વખતે સ્થિતિ 2019 જેવી નથી.

અહીં આપણે મહારાષ્ટ્રની વાત કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે યુપી પછી આ રાજ્યમાં લોકસભાની સૌથી વધુ સીટો છે. બીજેપી અને શિવસેના બંનેએ 2019ની ચૂંટણી એકસાથે લડી હતી પરંતુ આ વખતે બંને સામસામે છે.
અહીં સવાલ એ છે કે આ ચૂંટણીમાં સ્થિતી કેટલી બદલાશે? મહારાષ્ટ્રમાં એનડીએ માટે ઈન્ડિયા ગઠબંધન ખતરો બનશે કે કેમ? શું મહારાષ્ટ્રને કારણે બીજેપીને લોકસભાની ચૂંટણીમાં નુકસાન વેઠવું પડી શકે છે?
આ સવાલો વચ્ચે સી-વોટરે એબીપી માટે સર્વે કર્યો છે. આ સર્વેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વેમાં લોકોને પુછવામાં આવ્યુ હતું કે, આજે લોકસભાની ચૂંટણી થાય તો મહારાષ્ટ્રમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે?
આ સર્વેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જે પરિણામો આવ્યા તે ખૂબ જ આશ્ચર્યજનક છે. સર્વે અનુસાર, કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો એટલે કે ઈન્ડિયા એલાયન્સને 26-28 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપ અને તેના સહયોગીઓને 19-21 બેઠકો અને અન્યને 0-2 બેઠકો મળી શકે છે.
મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠકો?
કુલ બેઠક : 48
BJP+ : 19-21
કોંગ્રેસ+ : 26-28
અન્ય : 0-2
અહીં વોટની ટકાવારીની વાત કરીએ તો કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 41 ટકા વોટ મળી શકે છે અને બીજેપી અને તેના સહયોગીઓને 37 ટકા વોટ મળી શકે છે, જ્યારે બાકીનાને 22 ટકા વોટ મળી શકે.
કોને કેટલા મત?
ભાજપ+ : 37%
કોંગ્રેસ+ : 41%
અન્ય : 22%
સર્વેના પરિણામો ઈન્ડિયા એલાયન્સ માટે સારા સંકેત છે અને બીજેપી માટે મોટો પડકાર બની શકે છે. આ સર્વેમાં 2 લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે અને ડિસેમ્બર મહિનામાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આ સર્વે કરવામાં આવ્યો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
