Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal immigrant Indians : વધુ 119 ભારતીયો સાથે અન્ય એક વિમાન અમૃતસર ઉતરશે, સીએમ માન ભડક્યા

Illegal immigrant Indians : અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયોને લઈને અન્ય એક અમેરિકન વિમાન ભારત આવી રહ્યું છે.

આ વિમાન શનિવારે 119 ભારતીયોને લઈ એક વિમાન પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થશે. હવે અમૃતસરમાં લેન્ડ કરવાને લઈને વિવાદ શરૂ થયો છે.

Illegal immigrant Indians

15 ફેબ્રુઆરીએ અમેરિકાથી આવી રહેલું આ વિમાન અમૃતસરમાં ઉતરવા સાથે રાજકીય વિવાદ ઉભો થયો છે. પંજાબના મુખ્યમંત્રીએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, તમે પંજાબને બદનામ કરવા અમૃતસરનું પસંદગી કરી છે. વિદેશ મંત્રાલયે એ સ્પષ્ટ કરવું જોઈએ કે વિમાન અમૃતસરમાં ઉતારવાનું કારણ શું છે.

આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, તમારા આ નિર્ણયનો હેતુ પંજાબની છબીને નુકસાન પહોંચાડવાનો છે. જો વિમાન ગુજરાતમાં અથવા હરિયાણામાં ઉતારવામાં આવતું તો એ સમસ્યા ન હોત.

પંજાબના નાણાપ્રધાન હરપાલ ચીમાએ આ મુદ્દે ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર પાકા આયોજન સાથે પંજાબને નિશાન બનાવી રહી છે. વિમાનો હંમેશા અમૃતસરમાં ઉતારવા પાછળનો હેતુ પંજાબને કટઘરામાં ઊભું કરવાનો છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ વિમાનને ગુજરાતના અમદાવાદમાં ઉતારાયુ હોત પણ પંજાબને ટાર્ગેટ કરવું એ ભાજપ સરકારની નીતિ છે.

જણાવી દઈએ કે, આ પહેલાં 5 ફેબ્રુઆરીએ પણ એક વિમાન 104 ભારતીય ગેરકાયદે પ્રવાસીઓને લઈને અમૃતસર ઉતર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X