Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરહદ પર પહેરો વધારાયો, BSF દ્વારા એલર્ટ એક્સરસાઇઝ

BSF
નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ પાકિસ્તાને પોતાના કબજા હેઠળના કાશ્મીરમાં સક્રિયતા વધારી દીધી છે. નિયંત્રણ રેખા નજીક ગામો ખાલી કરાવ્યા છે અને ત્યાં 626 તોપખાના રેજીમેન્ટ તૈનાત કરી દીધી છે. પાકિસ્તાનની આ વધતી ગતિવિધિઓ બાદ ભારતે પણ રાજસ્થાન અને ગુજરાતને લગતી સરહદ પર એલર્ટ વધારી દીધું છે. બીએસએફે પોતાના જવાનોને સતર્ક રહેવા આદેશ આપ્યા છે. સરહદી વિસ્તારોમાં પહેરો વધારી દેવાયો છે અને સેનાએ મોટા અધિકારી સરહદી વિસ્તારોનો જાયજો લઇ રહ્યાં છે.

નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી સમયાંતરે કરવામાં આવી રહેલા ફાયરિંગ બાદ રાજસ્થાન અને ગુજરાત સીમા પર પણ તણાવ વધતું જોવા મળી રહ્યું છે. પુંછ અને ઉરીની તાજી ઘટનાઓ બાદ આ વિસ્તારોમાં પણ પૂરતો પહેરો લગાવવામાં આવ્યો છે. ઉપરાંત બીએસએફે બોર્ડર પર એલર્ટ એક્સરસાઇઝ શરૂ કરી છે. આ ઓપરેશન 28 જાન્યુઆરી સુધી ચાલશે. નોંધનીય છે કે પહેલા પણ જોવા મળ્યું છે કે જ્યારે તણાવ વધે છે ત્યારે પાકિસ્તાન બીજા મોરચા પર દબાણ વધારે છે. જૂના અનુભવોને ધ્યાનમાં રાખીને બોર્ડર સિક્યોરિટી ફોર્સે આ પહેરો વધાર્યો છે.

ઉલ્લેખનીય છે કે આઠ જાન્યુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સિઝફાયરનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સેનાએ ભારતના લાંસનાયક હેમરાજ સહિત બે સૈનિકોની હત્યા કરી દીધી હતી અને હેમરાજનું સર કલમ કરી નાખ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X