Independence Day 2022: જાણો લાલ કિલ્લા પર આજના કાર્યક્રમનુ આખુ શિડ્યુલ
આજે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ક્યારે શરૂ થશે અને તેનું સંપૂર્ણ શેડ્યૂલ શું છે, ચાલો તેના પર એક નજર કરીએ.
નવી દિલ્લીઃ આજે દેશ તેનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આઝાદી માટેના લાંબા સંઘર્ષ બાદ 1947માં આ દિવસે દેશને આઝાદી મળી હતી. ભારત સરકાર આ દિવસને સ્વતંત્રતાના અમૃત ઉત્સવ તરીકે ઉજવે છે. દેશભરમાં ત્રિરંગા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં દેશવાસીઓ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ દેશવાસીઓને આ અભિયાનમાં ભાગ લેવા આહ્વાન કર્યુ હતુ. આજે જ્યારે વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે ત્યારે દેશવાસીઓની જ નહf પરંતુ દુનિયાભરના લોકોની નજર તેમના પર હશે. આજે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ક્યારે શરૂ થશે અને તેનું સંપૂર્ણ શેડ્યૂલ શું છે, ચાલો તેના પર એક નજર કરીએ.

વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમને લઈને ગૃહ મંત્રાલય દ્વારા વિસ્તૃત માહિતી શેર કરવામાં આવી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન સવારે 7.30 કલાકે ધ્વજ ફરકાવશે. તમે આખો કાર્યક્રમ નેશનલ ટેલિવિઝન અને પીઆઈબીની સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલો પર લાઈવ જોઈ શકો છો.
સવારે 7:06 કલાકે પીએમ મોદી 7:14 કલાકે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરશે.
પીએમ મોદી સવારે 7:18 કલાકે લાલ કિલ્લા માટે રવાના થશે, આરઆરએમ અને ડિફેન્સ સિક્યુરિટી વડાપ્રધાનને લેવા માટે જશે.
સવારે 7:20 વાગ્યે લાહોરી ગેટ પર વડા પ્રધાનને લાલ કિલ્લા પર ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે,
સવારે 7:30 વાગ્યે મોદી લાલ કિલ્લાની પ્રાચિર પર ત્રિરંગો ફરકાવશે.
પ્રધાનમંત્રીનો તબક્કાવાર કાર્યક્રમ
વડાપ્રધાન તિરંગો ફરકાવ્યા બાદ સશસ્ત્ર દળો અને દિલ્લી પોલિસ સૌપ્રથમ ગાર્ડ ઓફ ઓનર આપશે.
રાષ્ટ્રગીત પછી ત્રિરંગો લહેરાવવામાં આવશે અને ત્યારબાદ 21 તોપોની સલામી આપવામાં આવશે.
ખાસ વાત એ છે કે પહેલીવાર હોમ ગનથી આ સલામી આપવામાં આવશે.
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર ફૂલોની વર્ષા કરશે.
વડાપ્રધાન મોદી આપશે ભાષણ












Click it and Unblock the Notifications
