India corona update : 24 કલાકમાં 20,799 પોઝિટિવ કેસ નોંધાયા, 26718 દર્દીઓ રિકવર
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 20,799 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 26,718 દર્દીઓ સાજા થયા છે.
નવી દિલ્હી : દેશભરમાં કોરોના વાયરસના દૈનિક કેસ અને સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સોમવારના રોજ આંકડાકીય વિગતો જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 20,799 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 26,718 દર્દીઓ સાજા થયા છે.

કોરોના વાયરસના કારણે છેલ્લા એક દિવસમાં 180 લોકોએ જીવ ગુમાવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોના વાયરસમાંથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને હાલમાં આ આંકડો 2,64,458 છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર દેશભરમાં કોરોના વાયરસના કુલ 3,31,21,247 દર્દીઓ સાજા થયા છે, જ્યારે વિવિધ રાજ્યોમાં અત્યાર સુધીમાં 4,48,997 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં રસીના કુલ 90,79,32,861 ડોઝ આપવામાં આવ્યા છે.
સતત બીજા દિવસે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 20થી વધુ કેસ નોંધવા માટે છેલ્લા આઠમાંથી સાતમો દિવસ હતો. 14 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે સક્રિય કેસ 9થી વધીને 180 થયો છે, જે 43 દિવસની ટોચની સપાટીએ છે.
રાજ્યમાં 24 કલાકમાં 62,842 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે, જે છેલ્લા બે મહિનામાં સૌથી ઓછું છે. છેલ્લા કેટલાક દિવસોથી બીજા ડોઝ મેળવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. નવા પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો સુરત શહેરમાંથી 8, અમદાવાદ શહેરમાંથી 6, સુરત અને વલસાડ જિલ્લામાંથી 3-3 અને વડોદરા શહેર, ખેડા અને નવસારી જિલ્લામાંથી 1-1 કેસનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
