India Corona Update : કોરોનાની નવી લહેર વચ્ચે બીજા બુસ્ટર ડોઝ આપવા અંગે વિચારણા, IMAએ કહી આ વાત
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. જે. એ. જયલાલે જણાવ્યું હતું કે, સરકારને ચોથા ડોઝ પર વિચાર કરવા વિનંતી કરવામાં આવી હતી. ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો બુસ્ટર ડોઝ આપવો જરૂરી છ
India Corona Update : ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડ સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણ ફરી એકવાર કાળો કહેર વર્તાવી રહ્યો છે. આ વચ્ચે ભારતમાં કોરોનાની ચોથી લહેર આવવાની આશંકા સેવાઇ રહી છે. આ સાથે કોરોના સંક્રમણ રોકવા માટે કેન્દ્ર સરકાર સતત બેઠક કરી રહી છે.
સોમવારના રોજ IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક યોજી હતી. જેમાં IMAએ વધારાના બુસ્ટર ડોઝ એટલે કે ચોથા ડોઝની આવશ્યકતા જણાવી છે. આ સાથે જે દેશોમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે, ત્યાં એક બુસ્ટર ડોઝ લેવા ઉપરાંત પણ આ સ્થિતિ સર્જાઇ રહી છે.

બીજા બૂસ્ટર ડોઝ અંગે વિચારણા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ સોમવારના રોજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને અન્ય ટોચના ડૉક્ટર્સ સાથેવાતચીત કરી હતી.
જેમાં દેશમાં કોરોનાની સમીક્ષા કરવામાં આવી હતી. આમાં, ડૉકટર્સે લોકોને બીજા બૂસ્ટર ડોઝની મંજૂરી આપવાવિનંતી કરી હતી.
દેશવાસીઓને કોરોના રસીના બે ડોઝ ફરજિયાતપણે આપવામાં આવ્યા છે. ત્રીજો વધારાનો કે બુસ્ટર ડોઝઆપવાની કામગીરી પણ ચાલી રહી છે.
ચીન અને અન્ય દેશોમાં પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને ચોથો ડોઝ અથવા બીજો બૂસ્ટર ડોઝવિચારણા હેઠળ છે.

અનેક રાજ્યોની હોસ્પિટલોમાં મોકડ્રીલ
સ્વાસ્થ્ય મંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા IMA સાથે આ બેઠક યોજી હતી. જેમાં દેશમાં કોરોનાના નવી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને ટોચના તબીબી નિષ્ણાતો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.
નિષ્ણાતો કહે છે કે, ચીનમાં મોટી સંખ્યામાં લોકોએ બૂસ્ટર ડોઝ લીધાપછી પણ Omicron ના BF.7 વેરિએન્ટના સંપર્કમાં આવ્યા હતા.
સરકારે દેશભરમાં કોવિડ કેસ, શ્વસન દર્દીઓ અને ઈન્ફલ્યુએન્ઝાનાદર્દીઓ પર નજર રાખવા સૂચનાઓ આપી છે.
મંગળવારના રોજ દેશના ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં પણ મોકડ્રીલ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.

રક્ષણ માટે સાચી માહિતી આપવા માંગ
બેઠક સાથે જોડાયેલા માહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, વિદેશમાં કોરોના સંક્રમણ વિશે સાચી માહિતી પૂરી પાડવામાં આવે, જેથી દેશમાં રહેલા ખતરાને જોઈને આંકી શકાય. ભયને દૂર કરવા અને ઈન્ફોડેમિકને રોકવા માટે અધિકૃત માહિતી આવશ્યક છે.

ભારતમાં ઘટી રહ્યા છે કોરોના સંક્રમિત દર્દીઓ
કોરોના ભલે અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો હોય, પરંતુ ભારતમાં સ્થિતિ અલગ છે. દેશમાં દર્દીઓની સરેરાશ દૈનિક સંખ્યામાં ઝડપથી ઘટાડોથયો છે. 1 ડિસેમ્બરના રોજ દૈનિક સંક્રમિતોની સંખ્યા 300 હતી, જે 25 ડિસેમ્બરના રોજ ઘટીને 163 થઈ ગઈ છે.

હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ : ડૉ. જયલાલ
આ બેઠક બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. જે. એ. જયલાલે જણાવ્યું હતું કે, સરકારને ચોથા ડોઝ પર વિચાર કરવા વિનંતી કરવામાં આવી હતી. ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો બુસ્ટર ડોઝ આપવો જરૂરી છે.

લાંબા અંતરાલમાં રોગપ્રતિકારક શક્તિ સમાપ્ત થઈ જશે
ડૉ. જયલાલે જણાવ્યું હતું કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે છેલ્લો ડોઝ લગભગ એક વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો. આટલા લાંબા અંતરાલમાં રોગપ્રતિકારક શક્તિ સમાપ્ત થઈ જશે. તેથી અમે કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી છે કે, તેઓ લોકોને અને ખાસ કરીને ડૉક્ટર્સ, નર્સીસ, હોસ્પિટલના અન્ય સ્ટાફ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે સાવચેતીના પગલાંના 4થા ડોઝ પર વિચાર કરે. તેમને દર્દીઓને હેન્ડલ કરવાના હોવાથી તેઓ સૌથી વધુ જોખમમાં હોય છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
