ચીનની અવળચંડાઇને ભારતનો જવાબ, સરહદ પર 50000 સૈનિકો થશે સજ્જ
સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર પ્રધાનમંત્રી મનમોહન સિંહની આગેવાનીમાં રક્ષા મામલાથી સંબંધિત મંત્રિમંડળીય સમિતિએ પોતાના બેઠકમાં આ મહત્વ અને ખૂબ જ જરૂરી પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આ યોજના અંતર્ગત 13 લાખ સૈન્યકર્મિઓવાળી સેના પશ્ચિમ બંગાળના પાનાગઢમાં નવી કોરનું હેડક્વાર્ટર ખોલી શકે છે. જાણકારી અનુસાર બિહાર અને આસામમાં તેમના બે ડિવિઝન હશે જ્યારે જમ્મુ-કાશ્મીરના લદ્દાખથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી અન્ય એકમો હશે. જાણકારી અનુસાર વાયુસેના પણ પોતાના હળવા C-130 J હર્ક્યુલિસ વિમાન રાખી શકે છે. આ કોર આવનાર 7 વર્ષોમાં તૈયાર થઇ જશે.
ઉલ્લેખનીય છે કે ફિલહાલ ભારતીય ફોજની પાસે ત્રણ હુમલાવર કોર છે, જેને પાકિસ્તાનને ધ્યાનમાં રાખતા તૈયાર કરવામાં આવ્યું છે. આ ત્રણ કોરોનું હેડક્વાર્ટર્સ મથુરા, બંબાલા અને ભોપાલમાં છે. આ ત્રણ કોર રણ અને મેદાની વિસ્તારમાં યુદ્ધ માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. ચીની ખતરાને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવનાર સેનાની આ પહેલી હુમલાવર કોર હશે.
આ કોરમાં સામે સૈનિકોને પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં યુદ્ધ કરવા માટે ખાસરીતે ટ્રેનિંગ આપવામાં આવશે. કારણ કે ચીન અને ભારતની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાનો મોટાભાગનો વિસ્તાર પહાડી વિસ્તારમાં જ છે.