For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાફિઝ સઈદને 'સાહિબ' કહેતા સંયુક્ત રાષ્ટ્ર પાસે સફાઇ માંગશે ભારત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક સમિતિ દ્વારા 26/11ના મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવા પ્રમુખ હાફિઝ સઈદને 'સાહિબ' કહેવાના મામલામાં ભારત આ વિશ્વ સંસ્થા પાસે સફાઇ માંગશે.

એવુ માનવામાં આવે છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિના અધ્યક્ષ ગૈરી ક્વીનલૈન દ્વારા 17 ડિસેમ્બરના રોજ લખાયેલ એક પત્રમાં સઈદને 'સાહિબ' તરીકે ઉલ્લેખ કરાતા ભારત સરકાર સંયુક્ત રાષ્ટ્ર પાસે સફાઈ માંગશે.

hafiz saeed
અલ-કાયદા અને તેની સાથે જોડાયેલા લોકો અને સંસ્થાઓ સાથે જોડાયેલ સંયુક્ત રાષ્ટ્રના પહેલાના પ્રસ્તાવો બાદ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરે-એ-તૈયબા અને સઈદ અંગે સૂચના સંબંધિત એક પત્રમાં ક્વીનલૈને જમાત-ઉદ-દાવા પ્રમુખ માટે 'સાહિબ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રએ ડિસેમ્બર 2008માં જમાત-ઉદ-દાવાને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધા હતા. ડિસેમ્બર 2008માં જ સંયુક્ત રાષ્ટ્રએ યૂએનએસસીઆર 1267 હેઠળ સઈદને વ્યક્તિગતરીતે પણ પ્રતિબંધિત કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રએ લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક સઈદ અને તેના એક સંબંધી પર એપ્રિલ 2003માં એક કરોડ અમેરિકન ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું. આ ઉપરાંત સઈદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે અને હંમેશા રેલીઓને સંબોધિત કરે છે. તે પોતાની રેલીઓમાં ભડકાઉ ભાષણો પણ કરે છે.

English summary
The United Nations Security Council Committee Chair Gary Quinlan referred to the man accused of masterminding the 26/11 Mumbai terror attacks as Hafiz Mohammad Sahib in a letter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X