Coronavirus: મોત મામલે ત્રીજા નંબરે પહોંચ્યુ ભારત, જાણો શું કહે છે આંકડા
દુનિયાભરમાં કોરોના દર્દીઓ બાબતે ત્રીજા નંબરે આવ્યા બાદ ભારત હવે મોતની દ્રષ્ટિએ પણ દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ચૂક્યુ છે.
નવી દિલ્લીઃ દુનિયાભરમાં કોરોના દર્દીઓ બાબતે ત્રીજા નંબરે આવ્યા બાદ ભારત હવે મોતની દ્રષ્ટિએ પણ દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ચૂક્યુ છે. ભારત પહેલા આ સ્થાન પર મેક્સિકો હતુ જ્યાં 62594 લોકો આ ખતરનાક વાયરસથી જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં હવે આ મહામારીથી મરનારની સંખ્યા 62635 થઈ ગઈ છે જે મેક્સિકોથી વધુ છે. તમને જણાવી દઈએ કે મરવા અને સૌથી વધુ પૉઝિટીવ કેસ મામલે હજુ પણ અમેરિકા દુનિયામાં પહેલા નંબરે છે.

મોતની સંખ્યામાં સતત વધારો
લેટેસ્ટ આંકડાઓ મુજબ એમેરિકામાં કોરોનાના કારણે એક લાખ 85 હજાર લોકોની જીવ ગયા છે. બીજા નંબરે હાલમાં બ્રાઝિલ છે. ત્યાં કોરોના અત્યાર સુધી એક લાખ 19 હજારથી વધુ લોકોનો જીવ લઈ ચૂક્યો છે. ભારતમાં જૂનથી લૉકડાઉનમાં છૂટ મળ્યા બાદ કોરોનાના નવા કેસ અને આનાથી થતી મોતની સંખ્યામાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે. ભારતમાં મેના અંતમાં જ્યાં પ્રતિ 10 લાખની વસ્તી પર મોતની સંખ્યા પાંચ હતી ત્યાં હવે આ સંખ્યા 45 સુધી પહોંચી ગઈ છે. આ રીતે આ સંખ્યા પર કેસ પણ હવે 2554 થઈ ગયા છે.

રિકવરી રેટ 76.28 ટકા પર પહોચ્યો
જો કે ભારતમાં રિકવરી રેટ પણ ઝડપથી વધ્યો છે. આરોગ્ય મંત્રાલયનુ કહેવુ છે કે દેશમાં હવે રિકવરી રેટ એટલે કે લોકોના રિકવર થવાનો દર 76.28 ટકા પર પહોચી ગયો છે અને અત્યાર સુધી લગભગ 26 લાખ લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે. વળી, એક્ટિવ કેસ હવે માત્ર 21.90% જ રહી ગયા છે. એટલે કે કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વર્તમાન પીડિતોના મુકાબલે 3.5 ગણી વધુ છે.

24 કલાકમાં રેકોર્ડ નવા કેસ આવ્યા
ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના 76 હજારથી વધુ કેસ સામે આવ્યા. શુક્રવારે 24 કલાક દરમિયાન કોવિડ-19ના 77464 નવા કેસ આવ્યા જ્યારે 65032 લોકો રિકવર થયા છે અને 1015 લોકોના મોત થયા. આ પહેલા ગુરુવારે 75760 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા હવે 34 લાખને પાર થઈ ગઈ છે. આમાંથી 26 લાખથી વધુ કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. વળી, 62 હજારથી વધુ લોકોના જીવ ગયા છે. આરોગ્ય મંત્રાલયનુ કહેવુ છે કે હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ કુલ કેસોના 22 ટકા રહી ગયા છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
