રશિયાના સંરક્ષણ મંત્રાલયના દાવાને ભારતે ફગાવ્યો, યુક્રેનમાં ભારતીય છાત્રો બંધક નથી

રશિયા અને યુક્રેન એકબીજા પર ભારતીય છાત્રોને બંધક બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે પરંતુ ભારતે આ દાવાને ફગાવી દીધા છે.

નવી દિલ્લીઃ યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે ભારત પોતાના નાગરિકોને અહીંથી કાઢવા માટે ઑપરેશન ગંગા ચલાવી રહ્યુ છે. ભારતે પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા અને યુક્રેન બંને સરકારોને અપીલ કરી છે. આ દરમિયાન રશિયા અને યુક્રેન એકબીજા પર ભારતીય છાત્રોને બંધક બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે પરંતુ ભારતે આ દાવાને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ આ બાબતે ટ્વિટ કરીને માહિતી આપી છે.

mea

ભારતના વિદેશ મંત્રાલય તરફથી આ બાબતે સફાઈ આપીને કહેવામાં આવ્યુ છે કે યુક્રેનમાં અમારુ દૂતાવાસ સતત ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. અમે જણાવા માંગીએ છીએ કે યુક્રેનના પ્રશાસનની મદદથી ઘણા છાત્રો 2 માર્ચે ભારત માટે ખારકીવથી રવાના થયા. અમને કોઈ પણ ભારતીય છાત્રના બંધક હોવાના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. અમે યુક્રેન પ્રશાસનને વિનંતી કરી છે કે તે છાત્રોને ખારકીવ અને પડોશી વિસ્તારોમાંથી બહાર કાઢવા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરે.

વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે બધા દેશો સાથે સતત સંપર્કમાં છીએ અને તેમની સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે રશિયા, રોમાનિયા, પોલેન્ડ, હંગરી, સ્લોવાકિયા, મોલદોવામાં પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને યુક્રેનથી કાઢવામાં આવ્યા છે. અમે યુક્રેન પ્રશાસન તરફથી પૂરી પાડવામાં આવેલ મદદ માટે તેમનો આભાર માનીએ છીએ. અમે યુક્રેનના પશ્ચિમી પડોશીઓનો પણ આભાર માનીએ છીએ જેમણે અમારા નાગરિકોને જગ્યા પૂરી પાડી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X