યુપી : ડીએસપી હત્યા કેસમાં રાજા ભૈયાનું રાજીનામુ
પ્રતાપગઢ, 4 માર્ચ : કુંડાના માથાભારે નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પુનઃ વિવાદમાં સપડાયાં છે. તેમની સામે પ્રતાપગઢ જિલ્લાના ડેપ્યુટી એસપી એટલે કે ડીએસપી ઝિયા-ઉલ-હકની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તે અંગે કેસ નોંધવામાં આવ્યો છે. તે પછી ઉત્તર પ્રદેશના ખાદ્ય મંત્રી રાજા ભૈયાએ આજે મુખ્યમંત્રી અખિલેશ યાદવને મળી તેમને પોતાનું રાજીનામું આપી દીધું.

નોંધનીય છે કે ડીએસપી ઝિયા-ઉલ-હકના પત્ની પરવીન આઝાદે પોલીસમાં રાજા ભૈયા અને તેમના નજીકના કુંડા પંચાયતના પ્રમુખ ગુલશન યાદવ, શમિત સિંહ, હરિઓમ શ્રીવાસ્તવ તેમજ ગુડ્ડૂ સિંહ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી છે. તેણે રાજા ભૈયા સામે પોતાના પતિની હત્યાની સાજિશ રચવાનો આરોપ મુક્યો છે. તે પછી પોલીસે રાજા ભૈયાની ધરપકડ કરી છે. આ અગાઉ રાજા ભૈયાએ રાજીનામુ પણ આપી દીધું.
એસપી સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે જણાવ્યું કે રાજા ભૈયાનું રાજીનામુ મંજૂર કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને કારણે અખિલેશ સરકારની પ્રતિષ્ઠા સામે પ્રશ્નચિહ્ન ઊભો થયો છે.
રાજ્ય સરકારે પ્રતાપગઢના એસલી અનિલ કુમાર રાયને પણ તેમના હોદ્દા ઉપરથી દૂર કરી દીધાં છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
