Parliament Attack: 2001માં થયેલા સંસદ હુમલાને પીએમ મોદીએ યાદ કર્યો
Parliament Attack: 2001માં થયેલા સંસદ હુમલાને પીએમ મોદીએ યાદ કર્યો
13 ડિસેમ્બર 2001ના રોજ આજના જ દિવસે પાકિસ્તાની પ્રાયોજિત આતંકવાદીઓએ ભારતની સંસદ પર હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓએ સંસદ પરિસરમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. આ દિવસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, 'આપણે 2001માં આજના દિવસે આપણી સંસદ પર થયેલ કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય ના ભૂલી શકીએ. અમે એવા લોકોની વીરતા અને બલિદાનને યાદ કરીએ છીએ જેમણે આપણી સંસદની રક્ષા કરતાં પોતાનો જીવ ગુમાવી દીધો. ભારત હંમેશા તેમનો આભારી રહેશે.'

કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ આ દિવસને યાદ કરતા કહ્યું કે, '2001માં લોકતંત્રના મંદિર સંસદ ભવન પર થયેલ કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં દુશ્મન સામે સામી છાતી લડતાં પોતાનું સર્વૌચ્છ ન્યૌચ્છાવર કરતી મા ભારતીના વીર સપૂતોને કોટી કોટી નમન કરું છું. કૃતજ્ઞ રાષ્ટ્ર તમારા અમર બલિદાનનું હંમેશા ઋણી રહેશે.'
2001માં સંસદ પર હુમલો થયો હતો
13 ડિસેમ્બર 2001ના રોજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. 13 ડિસેમ્બર 2001ના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પરિસરમાં ઘૂસણખોરી કરી અને સંસદ ભવનમાં ઘૂસવાની કોશિશ કરી હતી. તેઓ એક કારમાં સંસદ પરિસરમાં આવ્યા હતા, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ફેક પાસ હતો. સંસદના બંને સદનને 40 મિનિટ પહેલા સ્થગિત કરી દેવામાં આવ્યાં હતાં. પરંતુ તે સમયે કેટલાય સાંસદો, મંત્રી, અધિકારી અને અન્ય કર્મચારી સંસદ પરિસરની અંદર હતા.
આતંકવાદી સંસદમાં પ્રવેશ કરવા માટે ગેટ નંબર 12 તરફ આગળ વધ્ા, પરંતુ તેમને સંસદ સુરક્ષાકર્મિઓએ રોકી દીધા. આતંકવાદીઓએ ગોળીબાર કર્યો અને 30 મિનિટથી વધુ સમય સુધી આતંકવાદીઓ અને સુરક્ષાકર્મિઓ વચ્ચે ગોળીબાર થયો. આતંકવાદી સંસદમાં પ્રવેશ ના કરી શક્યા અને તમામ પાંચ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. ઘટનામાં આઠ સુરક્ષા કર્મચારી અને એક માળીનો જીવ ગયો.
તપાસ બાદ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના હોવાનું માલુમ પડ્યું હતું. તેમના ભારતયી સહયોગી અફઝલ ગુરુ, શૌકલ હુસૈન, એસએઆર ગિલાની અને નવજોત સંધૂની ધરપકડ કરવામાં આવી.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ







Click it and Unblock the Notifications
