22 મેથી રેલવે સ્પેશિયલ ટ્રેનનું વેઈટિગ લિસ્ટ શરૂ કરશે
22 મેથી રેલવે સ્પેશિયલ ટ્રેનનું વેઈટિગ લિસ્ટ શરૂ કરશે
નવી દિલ્હીઃ દેશમાં યથાવત કોરોના સંકટ વચ્ચે રેલવે તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે સ્પેશિયલ ટ્રેનમાં 22 મેથી વેઈટિંગ ટિકિટ શરૂ કરાશે. રેલવે બોર્ડે બુધવારે માત્ર પોતાની વર્તમાન વિશેષ ટ્રેન જ નહિ બલકે આગામી તમામ ટ્રેનોમાં યાત્રા માટે 22 મેથી પ્રતીક્ષા સૂચીનું પ્રાવધાન શરૂ કરવા સંબંધી આદેશ જાહેર કર્યો છે. વર્તમાન વિશેષ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ જ બુક કરવામાં આવી રહી છે, જ્યારે 22 મેથી થઈ રહેલી યાત્રાઓને પગલે 15 મેથી ટિકિટોના બુકિગમાં પ્રતીક્ષા સૂચીમાં ટિકિટ બુક કરાવવાનો પ્રાવધાન હશે. હવે 1 ACમા 20, એગ્જીક્યૂટિવ ક્લાસમાં 20, 2ACમાં 50, 3એસીમાં 100, એસી ચેર કારમાં 100 અને સ્લિપર કોચમાં 200 સુધી વેઈટિંગ ટિકિટ કાપવામાં આવશે.

રેલવેએ ઝોનોને મોકલેલા બોર્ડના આ આદેશમા સંકેત આપવામાં આવ્યાછે કે રેલવે વ્રતમાન એસી ટ્રેનોને બદલે મિશ્રિત સેવાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેનો એ પણ મતલબ છે કે મોટા શહેરોની સાથસાથ નાના શહેરો માટે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવી શકે છે. હાલ રાજધાની સ્પેશિયલ મોટા શહેરો માટે સેવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
જણાવી દઈએ કે અગાઉ રેલવેએ વિશેષ ટ્રેનમાં યાત્રા કરવાને લઈ કેટલાક જરૂરી દિશાનિર્દેશો પણ જહેર કર્યા હતા. જે મુજબ યાત્રા પહેલા પણ તમામયાત્રીઓનુ સ્ક્રીનિંગ થશે અને તેમને ફેસ કવર લગાવવું ફરજીયાત હશે. તાવ, શરદી વગેરેથી પીડિત હોય તેવા યાત્રીઓના શરીરનું તાપમાન પણ ચકાસવામાં આવશે. આ ઉપરાંત જે યાત્રીમાં કોરોના વાયરસના કોઈપણ લક્ષણ જણાય તેને યાત્રા કરવાની મંજૂરી આપવામા નહિ આવે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
