પોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
પહેલા સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળ્યા હતા. સુષ્મા સ્વરાજે પુષ્ટિ કરી છે કે, પોલેન્ડમાં થયેલી ઘટનામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે.
પોલેન્ડ માં એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં તેનો જીવ બચી ગયો છે. જો કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મામલાને ગંભીરતાથી લઇ પોલેન્ડમાં ભારતીય રાજદૂત પાસે અહેવાલ માંગ્યો છે. વિદેશ મંત્રીએ આ વાતની જાણકારી ટ્વીટર પર આપતાં લખ્યું છે, પોલેન્ડમાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે, મેં આ અંગે રાજદુત સાથે વાત કરી રિપોર્ટની માગણી કરી છે.

પોલેન્ડના ભારતીય રાજદૂત અજય બિસારિયાએ સુષ્મા સ્વરાજ ના ટ્વીટનો જવાબ આપતાં લખ્યું છે, 'પ્રાથમિક તપાસ મુજબ વિદ્યાર્થી પર બુધવારે પોઝનાન શહેરની ટ્રામમાં હુમલો થયો હતો. હુમલામાં તે બચી ગયો હતો.' પરંતુ પહેલાવિદ્યાર્થીના મૃત્યુની ખબર મળી હતી.

પ્રાથમિક તપાસ અનુસાર આ હુમલો જાતિવાદથી પ્રેરાઇને થયો હોઇ શકે છે, સુષ્મા સ્વરાજે આ અંગે ટ્વીટર પર જાણકારી આપતાં કહ્યું કે, 'આ ઘટનાના તમામ પાસાઓની તપાસ થઈ રહી છે. આ વિશે રાજદુત અજય બિસારિયા અહેવાલો આપશે.' પોલેન્ડના ભારતીય દૂતાવાસના ટ્વીટર હેન્ડલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પીડિત વિદ્યાર્થીની તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે .
There was an incident of beating. Fortunately, he has survived. We are inquiring into all aspects of the incident. https://t.co/uO9hJ171aB
— Sushma Swaraj (@SushmaSwaraj) March 31, 2017












Click it and Unblock the Notifications
