ભારતીય બાળકોને ભણાવવામાં આવતા હતા 'પાકિસ્તાની પાઠ'
અત્રે ઉલ્લેખનીય છે કે પુસ્તકમાં આપવામાં આવેલી માહિતી પાકિસ્તાની રક્ષા વેબસાઇટ પરથી લેવામાં આવેલી છે. પ્રથમ તથા દ્વિત્તિય વર્ષના પાઠ્યક્રમના પુસ્તકના લેખક માઇકલ વાઝ છે. વાઝે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે પુસ્તકની સામગ્રી તેમની પોતાની નથી પરંતુ આ સમાચારો અને નેટ પરથી લેવામાં આવેલી છે.
એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર આ પુસ્તકના પ્રકાશક મન્નન પ્રકાશનને આનો વિરોધ સહેવો પડી રહ્યો છે. ભાજપ નેતા સંતોષ પછલાગના જણાવ્યા અનુસાર એક અખબારમાં આ અંગે છપાયાના એક સપ્તાહ બાદ વાઝે તેમને ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે પુસ્તકની સામગ્રી તેમની પોતાની નથી પરંતુ આ સમાચારો અને નેટ પરથી લેવામાં આવેલી છે.
ટિકાકારોએ પુસ્તકને હ્યુમન રાઇટ્સ વાયલેશન એન્ડ રિડ્રેસલ ચેપ્ટરને વિવાદાસ્પદ ગણાવ્યું છે. જોકે મહારાષ્ટ્ર એ શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું ગઢ માનવામાં આવે છે. જોકે હંમેશા પાકિસ્તાની નેતા, સિંગર, પ્લેયર અને પાકિસ્તાનીઓનો વિરોધ કરનાર શિવસેના અને મનસે આ અંગે શું પગલા ભરે છે તે જોવું રહ્યું.