PSLV-C62 : લોન્ચિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા ઈસરોનું મિશન નિષ્ફળ, જાણો શું હતી સમસ્યા?
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) એ વર્ષ 2026 ના પ્રથમ મિશન તરીકે PSLV-C62 લોન્ચ કર્યું હતું. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સોમવારે આ રોકેટ રવાના થયું પરંતુ સફળ થઈ શક્યું નહીં.

ઈસરોના વડા વી. નારાયણને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે લોન્ચિંગ દરમિયાન રોકેટ તેના નિર્ધારિત માર્ગ પરથી ભટકી ગયું હતું. આ ટેકનિકલ ખામીને કારણે મિશન આયોજન મુજબ પૂર્ણ થઈ શક્યું નથી.
રોકેટે જે દિશા અને ઊંચાઈ પર પહોંચવાનું હતું તેમાં વિચલન આવતા વૈજ્ઞાનિકોમાં ચિંતા જોવા મળી હતી. હાલમાં ગ્રાઉન્ડ સ્ટેશનના ડેટા દ્વારા ખામીનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
આ મહત્વપૂર્ણ મિશન માટે રવિવારથી જ 22 કલાક અને 30 મિનિટનું કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું હતું. અગાઉ 2025 માં પણ એક મિશન અટકાવવું પડ્યું હોવાથી આ લોન્ચિંગ ભારત માટે ખૂબ જ અગત્યનું હતું.
EOS-N1 સેટેલાઈટ પૃથ્વીના અવલોકન માટે ખાસ તૈયાર કરાયો હતો, જે અનેક રીતે ભારતને મદદરૂપ થવાનો હતો. જોકે, રોકેટ પાથમાં આવેલી ગરબડને કારણે મિશનને અપેક્ષિત સફળતા મળી શકી નથી.












Click it and Unblock the Notifications
