Bhairon Singh Rathore: ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરોનું નિધન, ફિલ્મ બોર્ડરમાં સુનીલ શે્ટી બન્યો હતો ભૈરોસિંહ
ભારત પાકિસ્તાન 1971 ના યુદ્ધમાં બહાદૂર અને હિરો ભૈરોસિહ રાઠોડનું નિધન થયુ છે. તેમના દિકરાના જણાવ્યા અનુસાર 14 ડિસેમ્બરના રોજ તેમની છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી ત્યાર બાદ તેમને જોધપુર એમ્સમાં દાખલ કરપવામાં આવ્ય હતા.
1971 માં ભારત- પાકિસ્તાનના વચ્ચે થયેલા યુદ્ધના હિરો ભૈરોસિંહ રાઠોડનું મૃત્યુ થયુ છે. ભૈરોસિંહ રાઠોડ રાજસ્થાનના જોધપુર સ્થિત એમ્સમાં 19 ડિસેમ્બરના 2022 ના રોજ અંતિમ શ્વાસ લીધો હતો. ભૈરોસિંહ 81 વર્ષના હતા. ભારત પાકિસ્તાન યુદ્ધમાં તેમના દ્વારા અદમ્ય સાહસ દેખાડવામાં આવ્યુ હતુ. 16 ડિસેમ્બરના રોજ વિજય દિવસ 2022 ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન કરીને ભૈરોસિહની તબિયતની પુછપરછ કરી હતી. ભૈરોસિહ રાઠોડ છાતીમાં દુખાવાની તકલીફ હતી. 14 ડિસેમ્બરના રોજ તેમને જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભૈરોસિંહ રાઠોડે 1971 માં ભારત પાકિસ્તાન સરહદ પર પાક લોગેવાલા ચૌકી પર પરાક્રમ દેખાડ્યુ હતુ. તેને બોલિવુડ ફિલ્મ બોર્ડરમાં પ્રદર્શિત કરવામાં આવ્યુ હતુ. ભૈરો સિંહનો રોડ અભિનેતા સુનિલ શેટ્ટીએ કર્યો હતો. મીડિયા સાથે વાતચીત કરતા ભૈરોસિંહ રાઠો઼ડના દિકરાએ જણાવ્યુ હતુ કે, ભારત પાકિસ્તાન યુદ્ધની 51મી વર્ષગાઠના બે દિવસ પહેલા 14 ડિસેમ્બરના રોજ એણ્સ જોધપુરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભૈરોસિહ રાઠોડ મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના સોલકિયા તલા ગામના રહેવસી હતી. વર્ષ 1987 માં સીમ સુરક્ષા બળ BSF માથી રિટાયર થયા હતા. તેમણે 1971 ના યુદ્ધમાં અદમ્ય સાહસ દેખાડ્યુ હતુ. ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી અમિત શાહ જૈસલમેર ગયા હતા ત્યારે તેમની સાથે મુલાકાત કરી હતી.












Click it and Unblock the Notifications
