ભારત-અમેરિકામાં માનવાધિકાર પર ચર્ચા જ નથી થઈ, મીડિયા રિપોર્ટ્સમાં ખોટો દાવો કરાયોઃ સૂત્ર
ભારત-અમેરિકામાં માનવાધિકાર પર ચર્ચા જ નથી થઈ, મીડિયા રિપોર્ટ્સમાં ખોટો દાવો કરાયોઃ સૂત્ર
અમેરિકાના રક્ષામંત્રી લૉયડ ઑસ્ટિન ભારતના પ્રવાસે છે અને ભારતના શીર્ષ નેતાઓ સાથે ભારત-અમેરિકા રક્ષા સંબંધને નવી ઉંચાઈઓ પર લઈ જવાની બંને દેશના નેતાઓ કોશિશ કરી રહ્યા છે. જ્યારે શીર્ષ સૂત્રોથી માલૂમ પડ્યું કે અમેરિકાએ ભારત સમક્ષ માનવાધિકારનો મુદ્દો જ નથી ઉઠાવ્યો. અને બંને દેશ વચ્ચે માનવાધિકારના મુદ્દે કોઈ વાત નથી થઈ.

માનવાધિકાર પર વાત નથી થઈ
નોંધનીય છે કે કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે અમેરિકી રક્ષા મંત્રી લૉયડ ઑસ્ટિને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સામે માનવાધિકારનો મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ ભારતના શીર્ષ સૂત્રોનું કહેવું છે કે બંને દેશ વચ્ચે માનવાધિકારના મુદ્દે કોઈ વાત નથી થઈ. સૂત્રો મુજબ માનવાધિકાર અને વૈલ્યૂઝ બંને દેશના સામૂહિક પ્રકૃતિ તરીકે ગણાય છે જ્યારે અફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યકોના માનવાધિકાર હનને લઈ બંને દેશ વચ્ચે વાતચીત થઈ છે. જણાવી દઈએ કે અમેરિકી સંસ્થા ફ્રીડમ હાઉસે ભારતના ફ્રીડમ ઈંડેક્સને ઘટાડી દીધો છે અને ભારતને 'આંશિક મુક્ત' શ્રેણીમાં રાખી દીધું છે અને ફ્રીડમ હાઉસને ધ્યાનમાં રાખતાં અમેરિકી સરકાર તરફથી દુનિયાના માનવાધિકાર પર નજર રાખવા માટે ફંડ આપવામાં આવે છે. આ હિસાબે કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે અમેરિકા ભારત સામે માનવાધિકારનો મુદ્દો ઉઠાવી શકે છે, જેને હવે શીર્ષ સૂત્રોએ ફગાવી દીધો છે. ભારત પહેલેથી જ ફ્રીડમ હાઉસનો રિપોર્ટ ફગાવી ચૂક્યું છે.
ભારતની સુરક્ષા પર વાત
ભારતીય સૂત્રો મુજબ અમેરિકી રક્ષામંત્રી લૉયડ ઑસ્ટિન સાથેની મુલાકાત દરમ્યાન ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે ઈન્ડો-પેસિફિકન ઉપરાંત પૂર્વી એશિયાના મુદ્દે વાત કરી. જ્યારે ભારતની સુરક્ષા અને સીમા પર બની રહેલા ખતરાને લઈને પણ બંને દેશ વચ્ચે વાતચીત કરાઈ છે. બંને દેશ વચ્ચે બદલાતા વૈશ્વિક હાલાત વચ્ચે યૂરોપ અને વેસ્ટ એશિયા પર પણ વાતચીત કરાઈ છે.
જણાવી દઈએ કે અમેરિકાના રક્ષામંત્રી લૉયડ ઑસ્ટિન ત્રણ દિવસના ભારતના પ્રવાસ પર છે. સૌથી પહેલાં અમેરિકી રક્ષામંત્રીની મુલાકાત ભારતીય વડાપ્રધાન સાથે થઈ હતી અને કાલે ભારતીય એનએસએ અજીત ડોભલ અને ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે તેમની મુલાકાત થઈ હતી. અમેરિકી રક્ષામંત્રીના પ્રવાસમાં બંને દેશ વચ્ચે ડિફેંસ કૉર્ડિએશન વધારવાથી લઈ મિલિટ્રી ટૂ મિલિટ્રી એન્ગેજમેન્ટને વધુ ઉત્તેજન આપવા સહમતી થઈ છે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
